રથયાત્રા પૂર્વે મોસાળ કેમ જાય છે ભગવાન? 108 કળશના પવિત્ર જળથી શાહી અભિષેક બાદ જગન્નાથજી સજ્જ
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથજીની જળયાત્રા યોજાઈ-આગામી ૧૫ દિવસ સુધી ભગવાન સ્વાસ્થ્ય લાભ માટે સરસપુર ખાતે મામાના ઘરે રોકાણ કરશે. ત્યારબાદ પૂર્ણ સ્વસ્થ થઈને અષાઢી બીજના પાવન પર્વે ત્રણેય ભાઈ-બહેન ભવ્ય રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળશે.
-
અમદાવાદમાં ભક્તિનો માહોલ: જગન્નાથજીની ભવ્ય જળયાત્રા યોજાઈ, ૧૦૮ કળશના જળથી શાહી અભિષેક બાદ પ્રભુ મોસાળ જશે
- Ahmedabad Rath Yatra: સાબરમતીના નીરથી ભગવાન જગન્નાથનો જળાભિષેક, હવે ૧૫ દિવસ મામાના ઘરે કેમ રોકાશે પ્રભુ?
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિર દ્વારા અષાઢી બીજની રથયાત્રા પૂર્વે સોમવારે ૨૯ જૂનના રોજ પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પવિત્ર પ્રસંગને લઈને મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ યાત્રા નિજમંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભુદરના તટે પહોંચી હતી, જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પીતળના ૧૦૮ કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવ્યું હતું. આમ, ૧૦૮ કળશથી જળાભિષેક અને ગજવેશ દર્શન બાદ ભગવાન ૧૫ દિવસ મોસાળ સરસપુર જશે.

સાબરમતીના નીરથી ભરેલા આ ૧૦૮ પવિત્ર કળશને શ્રદ્ધાળુઓ પોતાના શિશ પર મૂકીને વાજતે-ગાજતે પરત મંદિર તરફ પ્રયાણ કરશે. આ ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યા હતા.
સુશોભિત ગજરાજો અને ઢોલ-નગારાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે અને ભક્તો હર્ષોલ્લાસ સાથે પવિત્ર જળના કળશને નિજમંદિર સુધી લાવશે. મંદિરમાં લાવવામાં આવેલા આ પવિત્ર જળથી જગન્નાથ, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવ્યુ હતું. આ અભિષેક પૂર્ણ થયા બાદ પ્રભુને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે, જેના અલૌકિક દર્શનનો લાભ ભક્તોને વર્ષમાં માત્ર આજના દિવસે જ મળે છે.

પરંપરાગત માન્યતા અનુસાર, વધુ પડતા જળસ્નાનને કારણે ભગવાન બીમાર પડે છે, જેથી તેઓ આગામી ૧૫ દિવસ સુધી આરામ અને સ્વાસ્થ્ય લાભ માટે સરસપુર ખાતે મામાના ઘરે રોકાણ કરશે. ત્યારબાદ પૂર્ણ સ્વસ્થ થઈને અષાઢી બીજના પાવન પર્વે ત્રણેય ભાઈ-બહેન ભવ્ય રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળશે.
