Western Times News

Gujarati News

ટ્રોલિંગથી હેરાન સોનાક્ષીએ  Twitter એકાઉન્ટ બંધ કર્યું

આગ લગે ઈસ બસ્તી મેં, હમ અપની મસ્તી મેંઃ અંતિમ Twitt
મુંબઈ,  અભિનેત્રી સોનાક્ષી સિંહા સોશિયલ મીડિયા પર પોતાનાં સ્પષ્ટ મંતવ્યો માટે જાણીતી છે. જા કે, હવે તે ટ્રોલિંગથી ખૂબ જ પરેશાન થઈ ચુકી છે. જેના કારણે તેણે ટિ્‌વટર પરથી વિદાય લઈ લીધી છે. તેણે પોતાનું ટિ્‌વટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે. સોનાક્ષીએ પોતાની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર શેર કર્યુ કે, તે હવે ટિ્‌વટર પર નથી. તેણે પોતાના અંતિમ Twittના કેપ્શનમાં લખ્યું કે, ‘આગ લગે ઈસ બસ્તી મેં, હમ અપની મસ્તી મેં.’ સોનાક્ષીએ ટિ્‌વટર છોડવાનાં કારણ અંગે લખ્યું કે, ટિ્‌વટર પર ખૂબ જ નેગેટિવિટી છે. પોતાના મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું હોય તો નેગેટિવિટીથી દૂર રહો. આજનાં સમયમાં ટિ્‌વટરમાં ખૂબ જ નેગેટિવ લોકો નેગેટિવિટી ફેલાવી રહ્યા છે. જેના કારણે હું મારું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી રહી છું.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અનેક સેલેબ્રિટી પર નિશાન સાધી રહ્યા છે. જે પૈકી એક સોનાક્ષી પણ છે. આ અગાઉ તે રામાયણના કારણે ટ્રોલ થઈ હતી. કરિયરમાં તે અનેક ફિલ્મોમાં આવી ચુકી છે. જેમાં દબંગ સિરિઝ ઉપરાંત કલંક, ખાનદાની શફાખાના જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જ્યારે ‘ભુજ ઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.