Western Times News

Gujarati News

અમદાવાદ મંડળ પર સ્વચ્છતા સપ્તાહ ની શરૂઆત

માનનીય પ્રધાનમંત્રી ની પહેલ પર પુરા ભારતીય રેલ્વે પર “સ્વચ્છતા સપ્તાહ” ની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર પણ સ્વચ્છતા સપ્તાહ ની શરૂઆત કરવામાં આવી છે જે 16 ઓગસ્ટ 20 સુધી ચાલશે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ માહિતી આપી હતી કે 10 ઓગસ્ટ થી મંડળ પર સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વર્તમાન માં કોરોના વૈશ્વિક મહામારી ને દેખતા સોશિયલ ડીસ્ટન્સ ના નિયમો નું પાલન કરતાં રેલ્વે સ્ટેશનો અને રેલ પરિસર તથા તેની આસપાસ ના ક્ષેત્ર,વોટર વેંડિંગ મશીન અને પીવાના પાણી ના વોટર હટ,ડ્રેનેજ ટોયલેટ તથા વર્કપ્લેસ અને કાર્યાલયો સહિત દરેક ક્ષેત્રો માં ગહન સફાઈ અભિયાન પ્રારંભ કરવામાં આવ્યુ છે.

તેમણે જણાવ્યુ કે આ સપ્તાહ દરમિયાન રેલ્વે ટ્રેકો પર સ્વછતા માટે વિશેષ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે કોરોના રોગચાળાના સમયમાં જ્યાં નિયમિત ટ્રેનોનું સંચાલન હાલમાં આગળની સૂચના સુધી બંધ છે, જેનાથી રેલ્વે ટ્રેક પર ટ્રેનો નું સંચાલન ઓછું છે,જે આપણને રેલ્વે ટ્રેકની વધુ સારી સફાઇ કરવામાં મદદ કરશે.તેમના જણાવ્યા મુજબ અમારો વિશેષ ભાર રેલ્વે ટ્રેક સાફ કરતી વખતે અન્ય કચરા ની સાથે ટ્રેક ની આજુબાજુ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવા પર રહેશે.

મંડળ ના ભુજ,ગાંધીધામ,પાલનપુર,વિરમગામ,મહેસાણા,સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો સહિત સાબરમતી અને વટવા ડીઝલ શેડ,કાંકરિયા,અમદાવાદ અને સાબરમતી કોચિંગ ડેપો,મણિનગર,સરસપુર તથા સાબરમતી અને શાહીબાગ રેલ્વે કોલોનીઓ તથા મંડલ કાર્યાલય પર પણ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા,અપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા રેલકર્મી ઉપસ્થિત હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.