Western Times News

Gujarati News

ઝઘડીયા ત‍ાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ બિસ્માર બનતા હાલાકી

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ખોરંભે પડી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વર – રાજપીપળા વચ્ચેના ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવ‍ાની કામગીરી લાંબા સમય થી ખોરંભે ચઢી  છે.ઉલ્લેખનીય છે કે કેવડીયા ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાઓમાં આ ધોરીમાર્ગ મહત્વના સ્થાને રહેલો છે.ઉપરાંત રાજપીપળાની આગળ બોડેલી – છોટાઉદેપુર તરફના માર્ગ સાથે પણ આ ધોરીમાર્ગ જોડાય છે.

આ માર્ગ ચોવીસ કલાક વાહનો ની રફતાર થી ધબકતો રહે છે.આ ધોરીમાર્ગને ચાર માર્ગીય બન‍ાવવાની કામગીરી લાંબા સમય થી ખોરંભે પડી છે.કેટલાક સ્થળોએ કામગીરી થઈ હતી અને કેટલાક સ્થળોએ બાકી છે.પરંતુ લાંબા સમય થી કામ બંધ રહેતા જયાં માર્ગ બન્યો હતો ત્યાં પણ મોટા મોટા ગાબડા પડ્યા છે.વાહન ચાલકોને ભારે યાતના પડી રહી છે.બિસ્માર માર્ગના કારણે ઘણા ઠેકાણે વાહનોએ રોંગ સાઈડે જવાની નોબત આવે છે.ઝઘડીયા તાલુકા માંથી પસાર થતા આ માર્ગ પર ઝઘડીયા,રાજપારડી તેમજ ઉમલ્લા નજીક માર્ગ તેના પર પડેલા ગાબડાઓના કારણે મોટી ય‍ાતનાનું કારણ બન્યો છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ચોમાસાની શરૂઆતે રાજપારડી ચોકડી નજીક પડેલા ખાડાઓ માં વરસાદી પાણી ભરાવાના કારણે વાહનો ફસાવાના બન‍વો બનતા હોબાળો થયો હતો.ત્યારે તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને કેટલાક સ્થળો એ મેટલ કપચીના ઢગલા કર્યા હતા.પરંતુ નામ માત્ર ની આ કામગીરી હજી જૈસે થે જેવી બની રહી છે.મેટલોના ઢગલા કર્યે પણ લાંબો સમય વીતી ગયો છતાં કામગીરી નો અભાવ જણાય છે.

આના કારણે મેટલો રોડ પર વેર વિખેર થત‍ાં વાહનચાલકો માટે વધારાની સમસ્યાનું નિર્માણ થયુ છે.ના છુટકે વાહનોએ રોંગસાઇડે જવાની મજબુરી ઉભી થાય છે.ત્યારે રોંગ સાઇડે દોડતા વાહનોથી અકસ્માત થાયતો કોને જવાબદાર ગણવા?લોકડાઉન સમયે તો વાહનોના અભાવે જાણે ચાલ્યુ,પરંતુ હવે લોકડાઉન તબક્કાવાર ખુલી રહ્યુ છે.

ત્યારે દોડતા વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવાની સંભાવના રહેલી છે.ત્યારે તંત્ર આ બાબતે ઘટતું કરવા ક્યારે આગળ આવશે?એવા સવાલો જનતામાં ચર્ચાઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.