Western Times News

Gujarati News

નેત્રંગ તાલુકામાં સીએચસી અને ૫ પીએચસીમાં ૭૮ લોકોના કોવિડ ટેસ્ટિંગ કરાતા ૭ પોઝીટીવ આવ્યા

વાલિયા તાલુકામાં ૨૨ લોકોના રેપીડ એન્ટીજેન ટેસ્ટિંગ કરતા ૧ મહિલાનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, વાલિયા અને નેત્રંગમાં કોવિડ ૧૯ ના દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા સીએચસી સહિત દરેક પીએચસીમાં પણ રેપીડ એન્ટીજેન ટેસ્ટિંગ કીટથી રોજેરોજ કોવિડ ૧૯ નું ટેસ્ટિંગ કરી રહી છે.જેને કારણે ટેસ્ટિંગ વધારતા આજે વાલિયામાં એક ૬૫ વર્ષની મહિલા અને નેત્રંગમાં ચાર કેસ પોઝીટીવ આવ્યા હતા.જેથી આ તાલુકાઓમાં ફરી એકવાર કોરોનાનો પડકાર ફેંકાય રહ્યો છે.હવે આ ગતિથી પોઝીટીવોની સંખ્યામાં વધારો થશે તો વિસ્તાર માટે ચિંતાનો વિષય બની શકે છે.

નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે ૨૬ લોકોના કોવિડ ૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૭ લોકોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા.આવી જ રીતે ચાસવડ પીએચસીમાં ૧૩ , મોરીયાણા ૮ , થવા ૧૫ , ખરેઠા ૧૫ અને બીલોઠી ૧ શંકાસ્પદ લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.કુલ ૭૮ લોકોના કોવિડ ૧૯ ટેસ્ટ કરાયા હતા જેમાંથી નેત્રંગ ટાઉનના ૪ પોઝીટીવ કેસ નોંધાયા હતા.

વાલિયા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા ખાતે ચાર જેમાંથી એક પોઝીટીવ રીપોર્ટ આવેલ હતો. ડહેલી પીએચસીમાં ૫,ગુંદીયા ૮ અને કોંઢમાં ૫ કુલ ૨૨ રેપીડ ટેસ્ટ કરાયા હતા.તેમાંથી વાલિયા ટાઉનમાં એક મહિલા પોઝિટિવ આવી હતી.

 વાલિયામાં કુલ અત્યાર સુધીના ૨૮ કેસ પોઝીટીવ નોંધાયા છે.જ્યારે નેત્રંગમાં કુલ ૨૨ કેસ પોઝીટીવ આવેલા છે.વાલિયા અને નેત્રંગમાં સરકારી આરોગ્ય વિભાગના ચોપડે કોરોના પોઝીટીવ એક પણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.

કોવિડ ૧૯ રેપીડ એન્ટીજન ટેસ્ટિંગ કરાતા આવેલા પોઝીટીવ વાલિયામાં મંજુલાબેન યુ દોશી,ઉ.વ.૬૫ રહે. એક્સિસ બેન્ક પાછળને જયાબેન મોદી હોસ્પિટલમાં,પ્રદીપભાઈ સી ગુર્જર ઉ.વ.૫૨ રહે,ગાંધીબજાર,જલારામ ફળિયું નેત્રંગને અંકલેશ્વર કોવિડ ૧૯ હોસ્પિટલ,ચંદ્રકાંતભાઈ સી પ્રજાપતિ ઉ.વ.૬૫ રહે,નેત્રંગ ગાંધી બજારને રાજપીપળા કોવિડ ૧૯ હોસ્પિટલમાં અને ઋષિ વિપુલભાઈ સુરતી ઉં.વ.૧૯ રહે,નેત્રંગ જવાહર બજાર અને જમનાબેન વી સુરતી ઉં.વ.૩૭ રહે,જવાહર બજાર નેત્રંગ આ માતા અને પુત્રીને ઘરે આઈસોલેશનમાં રાખી આરોગ્ય વિભાગ સારવાર કરી રહી છે.તો વધુ ત્રણ પોઝીટીવ આવતા શાહનવાઝ નસીમભાઈ પઠાણ ઉ.વ.૨૫ રહે,જવાહર બજાર નેત્રંગ,દિપતેષ અરવિંદભાઈ  દોશી ઉ.વ.૪૩ રહે,ગાંધી બજાર નેત્રંગ અને કમળાબેન છગનભાઈ પ્રજાપતિ ઉ.વ.૮૫ રહે,ગાંધી બજાર નેત્રંગ નો કોરોના પોઝીટીવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વાલિયા અને નેત્રંગ તાલુકામાં જે દર્દી પોઝીટીવ આવ્યા બાદ સારવાર દરમિયાન નેગેટીવ રીપોર્ટ આવ્યા હોય ત્યાર પછી તેને ડિસ્ચાર્જ કરેલ છે.ત્યારબાદ બીજા કોઈ કારણોસર દર્દીનું મૃત્યુ થયું છે.જે દર્દીના મૃત્યુ થયા છે તે આગળથી કોમોર્બિડ દર્દી હતા.કોમોર્બિડના કારણે એ લોકોનું મૃત્યુ થયુુ હતું.જેના કારણે વાલિયા અને નેત્રંગમાં એક પણ કોરોના પોઝીટીવથી મૃત્યુ થયેલ નથી.તેમ વાલિયા અને નેત્રંગ તાલુકા ના ટી.એચ.ઓ ડૉ. એ.એન.સિંઘે જણાવ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.