Western Times News

Gujarati News

શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

ભુજ,  માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભોજન કરાવાયું હતું. વીસ શ્રાદ્ધના વીસે દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન, રંક બાળકોને ભોજન, ભૂખ્યાને ભોજન, ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટની ગોળીઓ તથા કીડીઓનાં કીડીયારા પૂરવાનાં માનવસેવા અને જીવદયાનાં કાર્યો સાથે શ્રાદ્ધ નિમિત્તે સેવાકાર્યો કરવામાં આવી રહેલ છે. પ્રથમ અને બીજા શ્રાદ્ધનો લાભ વિવિધ પરિવારોએ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.