Western Times News

Gujarati News

શિક્ષણ દિને નરેન્દ્ર મોદીએ શિક્ષકો પ્રત્યે આભાર વ્યકત કર્યો

નવીદિલ્હી, આજે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નિર્માણમાં યોગદાન આપનારા શિક્ષકો પ્રત્યે આભાર વ્યકત કર્યો છે વડાપ્રધાન મોદીએ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ શ્રધ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને લખ્યું મને આકાર આપનાર અને આપણા રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા માટે અમે મહેનતી શિક્ષકોના આભારી છીએ શિક્ષક દિવસ પર અમે આપણા શિક્ષકોના ઉલ્લેખનીયિ પ્રયાસો માટે આભાર વ્યકત કરીએ છીએ ડો એસ કૃષ્ણનને તચેમની જંયતિ પર શ્રધ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.

મોદીએ બીજા ટ્‌વીટમાં સખ્યું આપણા રાષ્ટ્રના ગૌરવાશાળી ઇતિહાસ સામે આપણું જાેડાણ ગાઢ કરવા માટે આપણા જાણકાર શિક્ષકોથી વધાકે સારૂ કોણ છે હાલમાં મનની વાત કાર્યક્રમ દરમિયાન મેં શિક્ષકોની સાથે આપણા મહાન સ્વતંત્રતા સંઘર્ષના ઓછા જાણીતા પાસાઓ વિષે વિદ્યાર્થીઓને અભાવવાનો વિચાર શેર કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે આજે શિક્ષક દિવસ છે ભારતમાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે ડો સર્વપલ્લી રાઘાકૃષ્ણન વર્ષ ૧૯૬૨માં દેઆॅશના રાષ્ટ્રપતિ બન્યા હતાં.

એકવાર ડો સર્વપલ્લીના મિત્રો ૫ સપ્ટેમ્બરે તેમનો જન્મન્ દિવસ ધૂમધામથી મનાવવા ઇચ્છતા હતાં જયારે ડો. રાધાકૃષ્ણનને આ માહિતી મળીા તો તેમણે આમ કરતા રોકયા અને કહ્યું કે મારો જન્મ દિવસ ન ઉજવો પરંતુ શિક્ષકોનું શિક્ષકોનું સમ્માન કરો ત્યારથી ૫ સપ્ટેમ્બરે શિક્ષક શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની શરૂઆત થઇ હતી.અને આ દિવસની ઉજવણી થઇ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.