Western Times News

Gujarati News

શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના જન્મદિન નિમિતે સમુહ મહામૃત્યુંજય જાપ

શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી કેશુભાઈ પટેલના જન્મદિન નિમિતે શ્રી સોમનાથ મંદિર ખાતે અધ્યક્ષશ્રીના નિરામય આરોગ્ય અને દીર્ધાયુષ્ય માટે સોમનાથ મંદિર ખાતે પૂજાચાર્ય તથા તીર્થપુરોહિતો દ્વારા સમુહ મહામૃત્યુંજય જાપ , આયુષ્ય મંત્રજાપ કરવામાં આવેલ હતા. ટ્રસ્ટના માન.ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર સાહેબ, જનરલ મેનેજરશ્રી વી.ટી.ચાવડાના હસ્તે તત્કાલ મહાપૃજા પણ કરવામાં આવેલ હતી. જેમાં અધિકારી તથા કર્મચારીગણ પણ જોડાયેલ હતા. તેમજ સાયં આરતી સમયે દીપમાળાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

ટ્રસ્ટના માન.ચેરમેનશ્રીના જન્મદિન નિમિતે પથવિજય ભગવાન ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્‍ટ – સુરત હારા મેડીકલ કેમ્પનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને ફી મેડીકલ ચેકઅપ નિષ્ણાંત ડોકટરો દ્વારા કરવામાં આવ્યું અને ફ્રી દવાનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. જેનો આજુબાજુના વિસ્તારના તથા સ્થાનિક કક્ષાના ૫૧૫ જેવા દર્દીઓએ લાભ લીધેલ હતો.

આ મેડીકલ કેમ્પનું ઉદ્ઘાટન ટ્રસ્ટના માન.ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર સાહેબ, હસ્તે ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વી.ટી.ચાવડા તથા ટ્રસ્ટના અધિકારી / કર્મચારીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરવામાં આવેલ તેમજ ઉદ્બોધનમાં ટ્રસ્ટીશ્રી પરમાર સાહેબે શ્રી કેશુભાઈ પટેલનું નિરામય આરોગ્ય તથા દીર્ધાયુ માટે પ્રાર્થના કરેલ હતી.

પથવિજય ભગવાન ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કેશુભાઈ પટેલના જન્મદિન નિમિતે સોમનાથ તથા અન્ય જગ્યાએ કુલ ૧૭ મેડીકલ કેમ્પો ફ્રી તપાસ તથા ફરી દવા વિતરણ કરેલ છે. આ તકે ટ્રસ્ટના ટ્રસ્‍ટીગણ અધિકારી / કર્મચારી તથા સમગ્ર ટ્રસ્‍ટ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી અને તેના દોર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરેલ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.