Western Times News

Gujarati News

શ્વાસ લેવામાં તકલીફ થતાં અમિત શાહને ફરીથી દાખલ કરાયા

File

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને ફરી એકવાર શ્વાસ લેવામાં તકલીફ પડતાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં દાખલ કરાયા છે. જણાવી દઈએ કે શાહને ૧૫ દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જોકે, ફરીથી તબિયત લથડતાં શનિવારે મોડીરાત્રે તેમને એમ્સમાં દાખલ કરાયા છે. જોકે, હોસ્પિટલ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

સૂત્રોએ જણાવ્યું છે કે શાહને શનિવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને કાર્ડિયો ન્યૂરો ટાવરમાં રાખવામાં આવ્યા છે, જે વીવીઆઈપી માટે રીઝર્વ ફેસિલિટી છે. શાહ એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાની દેખરેખમાં સારવાર હેઠળ છે. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ભૂતકાળમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થવા છતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આરોગ્યની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.