Western Times News

Gujarati News

શ્રીનગરમાં થયેલ અથડામણમાં ત્રણ આતંકીઓનો ખાતમો

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી આ એન્કાઉન્ટર આજે સવારે ૩.૫૦ વાગે બટમલનુ વિસ્તારમાં થઇ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો આ સાથે જ શ્રીનગરમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ અગાઉ સુરક્ષા દળોને પુલવામાના કાકાપોરાના મારવલ ગામમાં આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જમ્મુ કાશ્મીર પોલીસ આર્મીની ૫૦ રાષ્ટ્રીય રાયફલ્સ અને સીઆરપીએફની જાેઇન્ટ ટીમે આંતકીઓને ઘેર્યા હતાં સુરક્ષા દળોને બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી આ એન્કાઉન્ટરમાં બે જવાન ધાયલ થયા હતાં.જેમાં હોસ્પિટલમાં ખસેડાયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.