Western Times News

Gujarati News

CRPF ટુકડી પર આતંકવાદીઓએ હુમલો કર્યો

શ્રીનગર, જમ્મુ કશ્મીરમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓનાં અટકચાળા હજુય ચાલુ છે. આજે સવારે CRPFની એક ટુકડી પર આતંકવાદીઓ ગોળીબાર કરીને કાયરની જેમ નાસી છૂટ્યા હતા. પ્રારંભિક અહેવાલો મુજબ જમ્મુ કશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસે જણાવ્યા મુજબ સેન્ટ્રલ કશ્મીરના શ્રીનગર જિલ્લામા નૌગાંવ વિસ્તારમાં આ ઘટના બની હતી. 110 બટાલિયનની CRPFની ટુકડી પર આતંકવાદીઓએ દૂરથી ગોળીબાર કર્યા હતા. ત્યારબાદ કાયરની જેમ નાસી છૂટ્યા હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં CRPF ટુકડીના કોઇ જવાન શહીદ થયા નહોતા કે કોઇને ગંભીર ઇજા પણ થઇ નહોતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.