Western Times News

Gujarati News

ભિવંડી દુર્ઘટના પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દુખ વ્યકત કર્યું

નવીદિલ્હી, મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ઇમારત તુટી પડવાથી ૧૦ લોકોના મોત નિપજયા છે.ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુખ વ્યકત કર્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્‌વીટ દ્વારા પોતાની સંવેદના વ્યકત કરતા લખ્યું છે મહારાષ્ય્રના ભિવંડી વિસ્તારમાં ઇમારત તુટી પડવાની ધટનામાં જાનમાલના નુકસાનથી દુખી છું દુખી આ ઘડીમાં પીડિતો પ્રત્યે સંવેદના વ્યકત કરતા ઇજા પામેલા તાકિદે સાજા થાય તેવી કામના વ્યકત કરૂ છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર એક ટ્‌વીટ કર્યું છે તેમણે લખ્યું છે કે ભિવંડીમાં ઇમારત તુટી પડવાની ઘટનાથી ખુબ દુખી છું મારી સંવેદના પીડિત પરિવારનોની સાથે છે ઇજા પામેલા લોકો તાકિદે સાજા થાય તેવી કામના વ્યકત કરૂ છું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.