Western Times News

Gujarati News

જાણીતા ફિલ્મ અને થિયેટરના કલાકાર આશાલતાનું કોરોનાથી મૃત્યુ

નવીદિલ્હી, જાણીતા મરાઠી હિન્દી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકરનું સતારાની એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ ૧૯ના કારણે નિધયુ થયુ છે. તેઓ ૭૯ વર્ષના હતાં અને ચાર દિવસ સુધી કોરોના વાયરસ સામે જંગ લડતા રહ્યાં છેલ્લા એક અઠવાડીયાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં અને તેમની સ્થિતિ નાજુક હતી તેમનું નિધન આજે સવારે હોસ્પિટલમાં થયું છે. આશાલતાના નામથી જાણીતા આ અભિનેત્રીનો જન્મ ગોવામાં થયો હતો અને કોવિડ ૧૯નો ચેપ તેમને એક ટેલિવિઝન સિરિયલના શુટીંગ દરમિયાન લાગ્યો હતો.આશાલતાએ અનેક હિટ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે તેમની પહેલી બોલીવુડ ફિલ્મ જંજીર હતી જેમાં આશાલતાએ અમિતાભ બચ્ચનની સાવકી માતાની ભૂમિકા ભજવી હતી આ ફિલ્મ ૧૯૭૩માં આવી હતી આ ઉપરાંત તેઓ થિયેટરમાં કામ કર્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.