Western Times News

Gujarati News

નાસા ૨૦૨૪માં ફરીથી ચંદ્ર પર અવકાશયાત્રીને મોકલશે

કેપકેનવેરલ, અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ફરી એકવાર અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના જાહેર કરી છે. ૨૦૨૪માં અવકાશ એજન્સી ચંદ્ર પર યાન ઉતારશે. તેની પાછળ ૨૮ અબજ ડોલરનો ખર્ચ થશે. મોડ્યુલ પર ૧૬ અબજ ડોલર (લગભગ ૧.૨૫ લાખ કરોડ રૂપિયા) ખર્ચ કરાશે. અમેરિકાએ ૧૯૬૯ થી ૧૯૭૨ સુધી એપોલો -૧૧ સહિત ચંદ્ર પર ૬ મિશન મોકલ્યા હતા. નાસાના વડા જિમ બ્રાયડનસ્ટીને કહ્યું કે આ રકમ પર એક પ્રકારનું જોખમ છે, કારણ કે દેશમાં ચૂંટણી છે. જો કોંગ્રેસ ડિસેમ્બર સુધીમાં ૨.૨ અબજ ડોલરની પ્રથમ મંજૂરી આપે તો ૨૦૨૪ મિશન પર કામ કરવાનું સરળ રહેશે.

બ્રાયડન સ્ટીને કહ્યું, “ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર મિશન ઉતરશે. અત્યારે આ વિશે વધુ કશું કહેવામાં આવશે નહીં.” ૨૨ જુલાઈ, ૨૦૧૯ ના રોજ ભારતે ચંદ્ર મિશન ચંદ્રયાન -૨ સફળતાપૂર્વક શરૂ કર્યું, તે દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું, પરંતુ તે સફળ થયું ન હતું. ૨૦ જુલાઈ ૧૯૬૯ના રોજ, અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ એડવિન એલ્ડ્રિન ચંદ્રની જમીન પર ઉતર્યા હતા. ખરેખર, અમેરિકાને આ મિશનની સફળતા પર આશંકા હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ નિકસનની સૂચના પર ‘ઈન ઇવેન્ટ ઓફ મૂન ડિઝાસ્ટર’ ના નામ પર પણ શોકનો સંદેશ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે, મિશન સફળ રહ્યું હતું અને ભાષણ ક્યારેય વાંચવામાં જ ન આવ્યું હતું. એપોલો-૧૧ પછી ૫ માનવ સંચાલિત મિશનને ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતાં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.