Western Times News

Gujarati News

ખંડણીની માગણી બાદ હત્યા કરાયેલ આધેડનો મૃતદેહ મળ્યો

ભાવનગર: ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં અપહરણ અને મર્ડરની ઘટના સામે આવી છે. જ્યાં ગઈકાલે સાંજે એક્ટિવા લઈને ઘરેથી નીકળેલા આધેડનું અપહરણ કરવામાં આવ્યું હતું. આજે તેમનો કરપીણ હત્યા કરાયેલી હાલતમાં મૃતહેદ મળી આવ્યો છે. અગાઉ તેમના અપહરણ કરાયા બાદ અજાણ્યા નંબર પરથી પરિવારને ફોન આવ્યો હતો કે તમારા બાપાને જોતા હોય તો ૧૫ લાખ આપી જાઓ. આ ફોન બાદ પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો હતો અને તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરી હતી.

જોકે, આ પહેલાં જ આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીર પરથી હત્યાના નિશાન મળી આવ્યા હતા. બનાવ વિગત એવી છે કે શિહોર તાલુકામાં ગઈકાલ રાત્રે રજાકભાઈ સુલેમાનભાઈ સેલોત ઉ.વ., ૫૨ જેઓ ગઈકાલે ઘરેથી એકટીવા લઈને બહાર ગયા હતા તે દરમિયાન રજાકભાઈ નું અપહરણ કરાયું હતું ત્યારબાદ તેમના ઘરે કોઈ શખ્સનો ફોન આવ્યો અને ૧૫ લાખની ખંડણી માંગી હતી. ઘટનાની જાણ તેમના પરિવારે સિહોર પોલીસ સ્ટેશનમાં કરતા ભારે શોધખોળ બાદ વહેલી સવારે વૈષ્ણવ સાધુ સમાજની સમાધિ સ્થળ પાસે તિક્ષ્ણ હથિયારનાં ધા ઝીકેલી હાલતમાં રજાકભાઈ ની લાશ મળી હતી

આ બનાવને લઈ શિહોર પોલીસ છે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતકને ડીશ રિપેરીંગના બહાને ફોન કરીને ઘરેથી કોઈ બોલાવી ગયું હતું અથવા તો ફોન આવ્યો હતો અને ત્યારબાદ તેમને પરત લઈ જવા માટે ખંડણી આપવી પડશે તેવી ધમકી આપી હતી. જોકે, મૃતદેહ મળ્યા બાદ હત્યાની ખરાઈ થતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દરમિયાન પરિવારને ૧૫ લાખની ખંડણી માટે થયેલી આ હત્યા કરનારા લોકો પોલીસની પકડમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. પરંતુ ક્યા લોકો હતા જે એક સામાન્ય માણસ પાસેથી ખંડણી માંગી અને તેમની હત્યા કરી છે તે જાણકારી બહાર આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.