Western Times News

Gujarati News

સંજેલી સંસ્કાર અને અભિનંદન માધ્યમિક શાળામાં સત્ર ફી માફ કરવામાં આવી

પ્રતિનિધિ સંજેલી: સંજેલી ઝાલોદ રોડ પર આવેલી  સંસ્કાર વિદ્યાલય અને અભિનંદન વિદ્યાલય માં જ્યાં સુધી શાળા નુ સત્ર શરૂ ન થાય ત્યાં સુધી સત્ર ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.સંચાલકે વાલી મીટીંગ બોલાવી સત્ર ફી માફ માટે વાલીઓને જાણ કરી હતી.

 દેશમાં કોરોના મહા મારીને લઈને સરકાર દ્વારા શાળા કોલેજો બંધ રાખવાના આદેશ આપ્યા છે.ત્યારે હાલ શાળાઓમાં સત્ર ફીને લઈને સરકારે પચ્ચીસ ટકા સત્ર ફીમાં રાહત આપી છે.ત્યારે સંજેલી ખાતે ઝાલોદ રોડ પર આવેલી સંસ્કાર વિદ્યાલય અને અભિનંદન માધ્યમિક શાળામાં સંચાલક રતનસિંહ બારીયા દ્વારા શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 12 મા ચારસો છપ્પન જેટલા તમામ વિદ્યાર્થી ભાઇ બહેનોને જ્યાર સુધી શાળા બંધ રહે ત્યાર સુધી સત્ર ફી માફ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આજે ૩જીને શનિવારના રોજ વાલી મીટીંગ બોલાવી   માં સંજેલી ખાતે આજ રોજ યોજવામાં આવી.

કોરોના મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ખૂબ જ દયનિય સ્થિતિમાં હોય આદિવાસી વિસ્તારના વિદ્યાર્થી અને વાલીઓ અને શાળા દ્વારા કોઈપણ પ્રકારની ફી શાળા દ્વારા નહી લેવા માટે સ્વેચ્છિક રીતે પણ ફી લેવામાંઆવશે નહીં.ચાલુ સત્ર થી લઈને જ્યાં સુધી સરકારના આદેશ પ્રમાણે શાળાઓ ચાલુ નહીં થાય

ત્યાં સુધી ધોરણ૧ થી૧૨ ની  સંખ્યા ૪૫૬ જેટલા વિદ્યાર્થી  ભાઈ બહેનો પાસે શાળા દ્વારા ફી લેવામાં આવશે નહીં. પંચમુખી એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલક રતનસિંહ એમ બારીયા.એ વાલી મીટીંગ યોજી શાળાના સ્ટાફ દ્વારા લોકોને જાણ કરવામાં આવી તા.વિરોધ પક્ષના નેતા રણછોડ પલાસ.રામસિંગ ચરપોટ, નારસિંગ બામણીયા.તેરસિંગ ચારેલ સહિતના આગેવાનો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.