Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં BJP નેતાની ગોળી મારી હત્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં રવિવારે બીજેપી નેતા મનીષ શુક્લાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ મામલાની રાજ્યપાલ જગદીપ ધનખડએ ગંભીર નોંધ લીધી છે. રાજ્યપાલે રાજ્યમાં ખરાબ થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી મમતા બેનર્જી, એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ), ડીજીપીને સમન્સ મોકલ્યા છે. બીજી તરફ બીજેપીએ આ મામલાને લઈ રાજ્યના બૈરકપુરમાં ૧૨ કલાક બંધનું એલાન આપ્યું છે. મળતી જાણકારી મુજબ, મનીષ શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશનની સામે થઈ છે. મળતી માહિતી મુજબ મનીષ શુક્લા રવિવાર રાત્રે લગભગ ૮ઃ૩૦ વાગ્યે ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે આવેલા પાર્ટી કાર્યાલયમાં બેઠા હતા.

આ દરમિયાન ત્યાં પહોંચેલા બાઇક સવાર હુમલાખોરોએ તેમની પર તાબડતોડ ફાયરિંગ કર્યું. હુમલામાં ગંભીર રીતે ઘાયલ મનીષને પહેલા બૈરકપુરની બીએન હૉસ્પિટલને લઈ જવામાં આવ્યા. હાલત ગંભીર લાગતાં તેમને અપોલો હૉસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. બીજેપી નેતાની હત્યા બાદ અહીં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. ઘટનાની ગંભીરતાને જોતાં અડધી રાતથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

આ મામલાને ગંભીર માનતાં રાજ્યપાલ જયદીપ ધનખડે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે વાત કરવા માટે રાજ્યના ડીજીપી સહિત તમામ અધિકારીઓને સોમવારે રાજભવન બોલાવ્યા છે. બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયે આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે. વિજયવર્ગીયે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરોને આશ્રય ન આપી શકાય, જે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. તેઓએ રાજ્યની તૃણમૂલ કાૅંગ્રેસ સરકાર પર વોટ બેન્ક માટે તુષ્ટિકરણની નીતિનું અનુકરણ કરવાનો આરોપ લગાવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.