Western Times News

Gujarati News

‘મે ક્યારેય રિટાયરમેન્ટ વિશે કહ્યું નથી, લોકો ખોટું સમજ્યા’ : નીતિશકુમાર

પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પોતાની છેલ્લી ચૂંટણીવાળા નિવેદન પરથી પલટી ગયા છે. નીતિશકુમારે કહ્યું કે ચૂંટણી રેલીમાં આપવામાં આવેલા તેમના ભાષણને ખોટી રીતે લોકો સમજ્યા. તેઓ આગળ પણ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરતા રહેશે.

નીતિશકુમારે કહ્યું કે, ‘મેં ક્યારેય રિટાયરમેન્ટ વિશે વાત કરી નથી. છેલ્લી બે બેઠકથી લઈને છેલ્લી ચૂંટણી રેલી  સુધે મે બધી જગ્યાએ એમ કહ્યું કે અંત ભલા તો સબ ભલા. જો તમે મારી છેલ્લી ચૂંટણી સ્પીચ સાંભળશો તો તમારી બધી વાતો સ્પષ્ટ થઈ જશે.’

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુરુવારે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરતા નીતિશકુમારે કહ્યું કે, ‘આગળ પણ તેઓ આ જ રીતે સમર્પણથી કામ કરતા રહેશે. નીતિશકુમારે કહ્યું કે જો તમે મારા વિશે પૂછવા માંગતા હોવ તો સ્પષ્ટ કરી દઉ કે મારી કોઈ વ્યક્તિગત પસંદગી નથી. જ્યાં સુધી હું કામ કરવામાં સક્ષમ છું, ત્યાં સુધી પૂરેપૂરા જુસ્સાથી કામ કરતો રહીશ. આ બધી વાત તમે જાણો છો.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.