Western Times News

Gujarati News

કોરોનાની રસી માટે આધાર કાર્ડ પુરાવા તરીકે નહીં વપરાય

Files Photo

અમદાવાદ: કોરોના વાયરસની રસી ટૂંક સમયમાં આવી શકે છે ત્યારે રસી કઈ રીતે લોકો સુધી પહોંચાડવી તે અંગેની તૈયારીઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રો દ્વારા શરુ કરી દેવામાં આવી છે. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ રસી લોકો સુધી સુવ્યવસ્થિત કઈ રીતે પહોંચાડવી તે અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા રસી માટેનું પત્રક તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પુરાવા તરીકે ફોટાવાળું ઓળખપત્ર રજૂ કરવું પડશે પરંતુ આ ઓળખ પત્રોમાં આધારકાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આવામાં લોકોને અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા વિવિધ જગ્યાઓ પર ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ રજૂ કરવા અંગે જણાવવામાં આવે છે ત્યારે આવી મહત્વની કામગીરીમાં આધારકાર્ડ સિવાયના પુરાવા લાવવા પડશે તે વિશે જાણીને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. રિપોર્ટ્‌સ અનુસાર આધારકાર્ડને રસીકરણ દરમિયાન પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસની રસી લોકો સુધી કઈ રીતે પહોંચાડવી પહેલા કોને પ્રાધાન્ય આપવું તે અગેની વિવિધ જરુરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર રસીકરણ માટે સર્વે સહિતની કામગીરી આરંભી દેવામાં આવી છે. તૈયાર કરવામાં આવેલા રસીકરણના પત્રકમાં જેમને રસી આપવાની છે તેમના નામ, સરનામા સહિતની વિગતો લેવામાં આવી છે જેમાં ઓળખના પુરાવાની કોલમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે નહીં ચાલે જેના કારણે ભારે આશ્ચર્ય લોકોને થઈ રહ્યું છે.

એક તરફ ખાનગી અને સરકારી કામગીરી માટે આધાર કાર્ડને મહત્વનો પુરાવો માનવામાં આવે છે ત્યારે રસીકરણ માટે અન્ય પુરાવાની માગણીથી આક્રોશ ફેલાઈ શકે છે. રસીકરણ માટે તૈયાર કરવામાં આવેલા પત્રકમાં વ્યક્તિની વિવિઘ વિગતોની માગણી કરવામાં આવી છે. જેમાં ગંભીર રોગ કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કિડનીનો રોગ, હૃદય રોગ, થેલેસેમિયા, સીકલ સેલ એનેમિયા, એઈડ્‌સ વગેરેનો સમાવેશ થાય છે, અને જાે વ્યક્તિ આ રોગથી પીડિત હોય તો તેની વિગતો માગવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.