Western Times News

Gujarati News

દાંતીવાડામાં દુધ દોહવાનું મશીન ચાલુ કરતા જ કરંટ લાગતા ૧૧ ગાયોના મોત

પાલનપુર: બનાલકાંઠામાં કોટડા ભાખર ગામે આજે દુધ દોહવાના મશીનથી કરંટ લાગતા ૧૧ ગાયોના મોત થયા છે બનાવના પગલે બનાસડેરીના અધિકારીઓ પોલીસ અને યુજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી વીજ કંરંટથી મોત થતાં પશુપાલકોને અંદાજે ૧૧ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

પશુપાલકના જણાવ્યા અનુસાર મારે ગાયોનો તબેલો છે મશીનથી ગાયો દોવાતી હતી આજે સવારે ગાયો દોહવા માટે મશીન લગાવ્યું અને ટપોટપ ૧૧ ગાયો મૃત્યુ પામી જયારે ત્રણ ગાયો બચી ગઇ છે કરંટ લાગવાથી ગાયોના મોત થયા છે.એક ગાયની કીંમત ૧ લાખ ૨૫ હજારની આસપાસની છે.

આ ઘટનાની જાણ થતાં જ બનાસ ડેરી,સરકારી ડોકટર યુજીવીસીએસ અને જે કંપનીના મશીન હતાં તેને અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેમણે મશીન ચેક કર્યં જેમાં બોડી શોર્ટ મશીન બતાવ્યું હતું. આ બનાવ અંગે કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરવમાં આવે તેવી પશુપાલકે માંગ કરી છે.

અધિકારી આર એન મુઢે જણાવ્યંુ હતું કે દાંતીવાડા નાયબ ઇજનેરે ૧૧ ગાયોના મૃત્યુ અંગે જાણકારી આપી હતી જેથી હું સ્થળ તપાસે ગયો હતો પ્રથમ દ્‌ષ્ટિએ આ ગાયના મૃત્યુ દુધ દોહવાના મશીનથી થયેલા શોર્ટ સર્કિટના કારણે થયા હોવાનું જણાવાય છે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ધટના બનતા ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.