Western Times News

Gujarati News

કોરોના વેક્સીનને મંજૂરી એ ગર્વની વાતઃ મોદી

Files Photo

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની રસીને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી, મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી, નવા વર્ષની શરૂઆતથી કોરોના રસી વિશે સતત સારા સમાચાર આવી રહ્યા છે. નિષ્ણાત સમિતિની ભલામણ બાદ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે સીરમ સંસ્થાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવાક્સિનને મંજૂરી આપી છે.

આ ઉપરાંત ઝાયડસ કેડિલા રસી ઝાયકોવ-ડીને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે, દરેક ભારતીયને ગર્વ થશે કે, જે બે રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, તે આપણામાં દેશમાં જ બની છે!

આ આપણા વૈજ્ઞાનિક સમુદાયની આર્ત્મનિભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવાની ઉત્સુકતા દર્શાવે છે. બંને રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપ્યા પછી, પીએમ મોદીએ ટિ્‌વટ કર્યું ડીસીજીઆઈએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવાક્સિનને મંજૂરી આપી છે.

ભારતને અભિનંદન. અમારા બધા મહેનતુ વૈજ્ઞાનિકો અને ઈનોવેટર્સને અભિનંદન. પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ પણ આ અંગે ટિ્‌વટ કરીને માહિતી આપી હતી. તેમણે ટિ્‌વટ કર્યું- બધાને નવા વર્ષની શુભકામનાઓ. ભારતની પ્રથમ કોવિડ-૧૯ રસી કોવિશિલ્ડને મંજૂરી આપવામાં આવી છે. સલામત અને અસરકારક આ રસી આવતા અઠવાડિયામાં રોલ-આઉટ થવાની તૈયારીમાં છે.

ડીસીજીઆઈના ડિરેક્ટર વી.જી. સોમાનીએ કહ્યું હતું કે, ‘જાે સુરક્ષા અંગે થોડી શંકા પણ હોત, તો અમે આવી કોઈ પણ બાબતને મંજૂરી ન આપત. આ રસી ૧૦૦% સલામત છે. હળવા તાવ, પીડા અને એલર્જી જેવી કેટલીક આડઅસરો દરેક રસી માટે સામાન્ય છે. લોકો રસીથી નપુંસક બની શકે છે તેવો દાવો સાવ બકવાસ છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોરોના વેક્સીનની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

આ ર્નિણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી મળવા પર શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે આ પગલું કોરોના વાયરસની વિરુદ્ધની લડાઈમાં ખૂબ જ અગત્યનું સાબિત થશે. વડાપ્રધાને વેક્સીન તૈયાર કરવામાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોનો પણ આભાર વ્યક્ત કર્યો.

ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. મોદીએ સતત ત્રણ ટ્‌વીટ કરીને દેશને કોવિડ મુક્ત થવાની આશા વ્યક્ત કરી છે. મોદીએ પોતાના ટ્‌વીટમાં લખ્યું કે, ડીસીજીઆઈનું પગલું ભારતની કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ખૂબ જ અગત્યનું સાબિત થશે. કોવિશીલ્ડ અને કોવેક્સીનના માધ્યમથી દેશને કોરોના મુક્ત બનાવવામાં મદદ મળશે.

વેક્સીન બનાવવામાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોને ધન્યવાદ. મોદીએ ડીસીજીઆઈના એલાનને આર્ત્મનિભર ભારતની સાથે પણ જાેડ્યું છે. મોદીએ વધુમાં કહ્યું કે, દેશના નાગરિકો માટે ગર્વની વાત છે કે જે બંને વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે તેનું નિર્માણ ભારતમાં જ થયું છે. આ દર્શાવે છે કે આર્ત્મનિભર ભારત બનાવવાની મુહિમમાં દેશના વૈજ્ઞાનિકો કેટલી મહેનત કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ વોરિયર્સનો આભાર વ્યક્ત કરવાનું ભૂલ્યા નહીં. તેઓએ ટ્‌વીટ કરીને લખ્યું કે, આપણે ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ, વૈજ્ઞાનિક, પોલીસ, સફાઈ કર્મચારી અને તમામ કોવિડ વોરિયર્સના આભારી છીએ. કોવિડ વોરિયર્સે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર કામ કર્યું છે. લોકોના જીવ બચાવવા માટે આપણે હંમેશા તેમના આભારી રહીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.