Western Times News

Gujarati News

કોરોના વેક્સિન ખુશીથી લગાવીશ, કોઈ પાર્ટીની નથી- ઉમર અબ્દુલ્લા

નવીદિલ્હી, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કોરોના વેક્સિનને લઈને ખુશી જાહેર કરી છે અને કહ્યું કે, તે લગાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, જેટલા લોકો વેક્સિનેશન કરાવશે, દેશ અને અર્થવ્યવસ્થા માટે એટલું સારૂ છે. વેક્સિન કોઈ રાજકીય પાર્ટીની નથી. આ માનવતા માટે છે અને જેટલી જલદી તે અતિસંવેદનશીલ લોકો સુધી પહોંચશે એટલું સારૂ છે. તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઉમરે કહ્યુ, ‘હું બીજા વિશે નથી જાણતો, પરંતુ જ્યારે મારો વારો આપશે તો હું ખુશી-ખુશી કોરોના વેક્સિન લગાવીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.