Western Times News

Gujarati News

દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ તો પિતાએ છપાવ્યો મરણ સંદેશ

પોલીસે તેમની દીકરી અને તેના પ્રેમીને શોધીને પરીવારજનો સમક્ષ હાજર કર્યા હતા ત્યારે આ દીકરીએ પોતાના માતા-પિતાને ઓળખવાની ના પાડી દીધી હતી. જેના કારણે માતાપિતાએ પોતાની દીકરી મરણ પામેલ છે. અને તેના મૃત્યુુનો સંદેશ તથા મૃત્યુભોજનનો સંદેશ લોકોને મોકલ્યો હતો

(એજન્સી)જયપુર, રાજસ્થાનના ભીલવાડામાં એક શોક સંદેશ વાયરલ થઈ રહયો છે. જેમાં એક પરીવાર તેમની દીકરીનો સ્વર્ગવાસ થયો છે. તેવી સુચના આપી રહયો છે. પીહર કી ગોરની એટલે કે મૃત્યુ ભોજનું પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સમાજનાં લોકોને આમંત્રીત કરતો આ શોધ સંદેશ ગામમાં વહેચવામાં આવ્યો અને સોશીયલ મીડીયા પર વાયરલ થઈ રહયો છે. હકીકતમાં કાર્ડમાં જ યુવતી પ્રિયા જાટની મૃત્યુની સુચના આપવામાં આવી છે. તે અસલમાં જીવીત છે. દીકરી જીવતી હોવા છતાં પરીવાર દ્વારા શોક સંદેશ પાઠવવામાં આવી રહયો છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમગ્ર મામલો ભીલવાડા જીલ્લાના હમીરગઢ વિસ્તારમાં આવેલા રતનપુરા ગામનો છે. નારાયણ લાલ લાઠીની દીકરી પ્રિયા, જાટ ગુમ થઈ હતી. તે તેના પ્રેમથી સાથે ઘરેથી ભાગી ગઈ હતી. પ્રિયાના પરીવારજનોએ અનુસાર ઘરના લોકોને મંજુરી લીધા વગર તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.

દીકરીના આ નિર્ણયથી નારાજ પરીવારજનોએ ૧ જુન ર૦ર૩ના દિવસે સ્વર્ગવાસના સમાચાર સાથે ૧૩ જુન ર૦ર૩ ની સવારે ૯ કલાકે પીહરની ગૈરાની એટલે કે મૃત્યુ ભોજનો કાર્યક્રમ રાખ્યો છે.

રતનપુર ગામની પ્રિયા જાટ પરીવારની મરજી વિરૂધ્ધ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ અંગેની પરીવારજનો સામે લાવી મુકયા હતા. જાેકે પ્રિયાએ તેના પરીવારજનોને ઓળખવાનો જ ઈનકાર કરી દીધો હતો. પરીવારજનો સામે પ્રિયા તેના પ્રેમી સાથે જતી રહી હતી.

પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરીયાદ નોધાવનાર પરીવારને પોતાની દીકરી પાસે આવી આશા ન હતી. પરંતુ દીકરીએ પરીવારજનોને ઓળખવાના ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ પરીવારજનોએ અમારે દીકરી મરી ચુકી છે.’ આ સંદેશો છપાવ્યો હતો. હાલ આ સંદેશો સોશીયલ મીડીયામાં વાયરલ થઈ રહયો છે.

સોશીયલ મીડીયામાં ભીલવવાડા યુવક આશીષ જાટે આ શોક સંદેશ શેર કર્યો હતો. તેણે આ પોસ્ટમાં લખ્યું હતું કે રતનપુરા ગામના ભેરૂલાલ લાઠીનીી દીકરી પ્રિયા જાટને ઉંમર ૧૮ વર્ષ થતા તે તેના બોયફ્રેન્ડે સાથે ભાગી ગઈ હતી. જયારે પોલીસ બંનેને પકડી લાવી ત્યારે પ્રિયાજાટે પોલીસને કહયું હતું કે, હું આ લોકોને જાણતો નથી.

આ બાદ પ્રિયાના પરીવારજનોએ શોક સંદેશ વહેચવાના શરૂ કર્યા હતા. પ્રિયાના મોટા ભાઈએ જણાવ્યું હતું કે, મારી બહેન તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે.છ આ કારણે માતાપિતાને ખુબ દુઃખ થયું છે. આ કારણે તેમણે શોક પત્રીકા છપાવીને મૃત્યુ ભોજ પણ રાખવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.