Western Times News

Gujarati News

રિદ્ધિ સિદ્ધિ કોરન્ટાઇન કોવિડ કેર સેન્ટર અને ડે કેર હોસ્પિટલનું શાહીબાગમાં શુભારંભ

અમદાવાદ નગરની રાજસ્થાન સેવા સમિતિ અને માનવ સેવા સંઘ ની આગેવાની હેઠળ શાહીબાગ સ્થિત ઘાસીરામ ભવનમાં રિદ્ધિ સિદ્ધિ કોવિડ કેર સેન્ટરનું શુભારંભ 05 મે, બુધવારના રોજ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું ઉદ્ઘાટન નમસ્કાર મહામંત્રથી કરવામાં આવ્યું હતું અને તે પછી સ્ટેજ પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અસારવાના ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર, મ્યુનિસિપલ કાઉન્સિલર ભરતભાઇ પટેલ (લાલભાઇ), જસુભાઇ ઠાકોર, શ્રીમતી પ્રતિભાબેન જૈન, શ્રીમતી જસ્મિનબેન ભાવસાર, રાજસ્થાન સેવા સમિતિના અધ્યક્ષ ગણપતરાજ ચૌધરી,

ઉપાધ્યક્ષ બાબુલાલ શેખાની, સચિવ દીપચંદ બાફના, જ્ઞાનોદય શાળા કન્વીનર તેજકરણ લુણીયા, માનવ સેવા સંઘના ટ્રસ્ટી કમલ મંગલજી, શિવકુમાર ચૌધરી, જેસીઆઈ શાહીબાગ ના સ્થાપક પ્રમુખ અશોક બાફના, જીતો શ્રમણ, આરોગ્યમ ના અધ્યક્ષ હિમાંશુભાઇ શાહએ દીપ પ્રગટાવ્યો હતો.

બાદમાં રાજસ્થાન સેવા સમિતિના અધ્યક્ષ અને રિદ્ધિ સિદ્ધિ કોવિડ કેર સેન્ટર ના સૌજન્યથી ગણપતરાજ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા અને કહ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર કોવિડ મહામારી દૂર કરવા અને આ સેવા માટે ખૂબ પ્રશંસનીય કાર્ય કરી રહી છે. આ હેઠળ, રિદ્ધિ સિદ્ધિ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

પ્રદીપ પરમારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ કેર સેન્ટર શરૂ કરવા બદલ સંસ્થા ની પ્રશંસા કરી અને દરેક કાર્યમાં સહકાર આપવાની ખાતરી આપી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને ગુજરાત સરકાર કોવિડ મહામારી ને નાથવા કટિબદ્ધ છે અને તેને દૂર કરવા રસીકરણની કામગીરી જોરશોરથી ચલાવી રહી છે અને આ અભિયાનમાં 20% રસીકરણ સાથે ગુજરાત રાજ્ય ટોચનું સ્થાન ધરાવે છે.

રાજ્યમાં તબીબી સુવિધા ના સંદર્ભમાં જણાવવામાં આવ્યું હતું કે 15 માર્ચ પહેલા રાજ્યમાં ફક્ત 45000 બેડ હતા, જેને હાલના સમયમાં 1 લાખ બેડ પૂરા પાડીને વિસ્તૃત કરવામાં આવ્યા છે અને સાથે રસીકરણ અને ઓક્સિજનની પણ પર્યાપ્ત સમાન સુવિધા છે. ગૃહમંત્રીએ રિદ્ધિ સિદ્ધિ કોવિડ કેર સેન્ટરની પણ પ્રશંસા કરી હતી

અને કહ્યું હતું કે આ સુવિધાથી કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓને રાહત મળશે. આ પ્રસંગે રાજસ્થાન સેવા સમિતિ દ્વારા મુખ્યમંત્રી કોરોના રાહત ભંડોળમાં પાંચ લાખ રૂપિયાનો ચેક ગૃહ મંત્રી જાડેજાને અર્પણ કરવામાં આવ્યો હતો, જેની ઉપસ્થિતીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કોવિડ સેન્ટરના લાભાર્થી ગણપતરાજ ચૌધરી, ધારાસભ્ય પ્રદીપ પરમાર અને તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરો નું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ શાહીબાગ ના સ્થાપક પ્રમુખ, અશોક બાફનાએ જણાવ્યું હતું કે રિદ્ધિ સિદ્ધિ કોવિડ કેર સેન્ટરમાં અત્યાધુનિક 50 બેડ સુવિધા છે

જેમાં 24 કલાક નર્સિંગ સ્ટાફ, ડોક્ટરની સુવિધા, સાત્વિક ખોરાક, કાઢા, આવશ્યક દવાઓ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને 24 કલાક ડે કેર હોસ્પિટલની સુવિધા પણ ઉપલબ્ધ થશે જેમાં ડોક્ટરની સલાહ અને તબીબી સુવિધા વિના મૂલ્યે આપવામાં આવશે. જેસીઆઈ શાહીબાગના પ્રમુખ, મુકેશ આર ચોપડાએ જણાવ્યું હતું કે,

આ સેવાની કામગીરીમાં જેસીઆઈ શાહીબાગને સંગઠનની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, રાજેશ મહેતા, રણમલ તાતેડ, મનીષ મહેતા, કુમારપાલ ગુલેચ્છા, હિતેન્દ્ર હુંડિયા, રણજિત કાનુંગા, કમલેશ શ્રીશ્રીમાલ, મુકેશ ગાદીયા, દિનેશ દેવડા ધોખા, કેતન સંકલેચા, લલિત બાફના, હિતેશ રાંકા વગેરે સક્રિય સેવાઓ આપી રહ્યા છે.

કાર્યક્રમ દરમ્યાન વંશરાજ સંઘવી, રાજસ્થાન સેવા સમિતિના સહસચિવ રાજેન્દ્ર બાગરેચા, જીતો અધ્યક્ષ અમિત બાલડ, જીતો પ્રાદેશિક અધ્યક્ષ કુશલ સંઘવી, સિવાના સેવા સમિતિના અધ્યક્ષ દિનેશ શ્રીશ્રીમાલ, અશોક ભણસાલી, ડો.વિમલ રાંકા, ડો. હસમુખ અગ્રવાલ, ઓજસ પ્રમુખ સુરેશ ભણસાલી , નીતિન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંતે, અશોક બાફનાએ સૌનો આભાર માન્યો. કાર્યક્રમનું સંચાલન જેસીઆઈ ના પ્રમુખ મુકેશ આર ચોપડાએ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.