Western Times News

Gujarati News

લાંચ માગનાર ૨ કર્મચારીઓ સહિત ૩ને ઝડપી લેવામાં આવ્યા

પ્રતિકાત્મક

સુરત, કામરેજ ખાતે યાર્નના વેપારી પાસે પુરાવા વગર ભાગીદારી પેઢી ચલાવતા હોવાનું કહી રૂ ૧૫ હજારની લાંચ માગનાર સેન્ટ્રલ જીએસટી વિભાગના ૨ કર્મચારીઓ સહિત ૩ ને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જાે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક ક્લાસ ૨ અધિકારી છે.

અધિકારી લાંચ લેતા ન માત્ર સંબંધિત વિભાગમાં પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ચકચાર મચી ગઇ છે. કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરતા એક વ્યક્તિ પાસેથી લાંચ માંગવામાં આવી હતી.

ભાગીદારી પેઢીમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના અધિકારીઓ આરોપી આશિષ રણવીરસિંહ ગેહલાવત અને જસ્ટીન કાંતિલાલ માસ્ટર વેરીફીકેશન માટે ગયા હતાં. દુકાનની વિઝીટ કરી દસ્તાવેજી પુરાવા માગ્યા હતા. વેપારીએ ભાગીદારી પેઢીમાં કોઇ બેનર કે ડીસપ્લે લગાવ્યું નથી.

આ ઉપરાંત ધંધો કરે છે તે અંગે રજુ કરેલ પુરાવાને ધ્યાને લઇને અત્યાર સુધી રૂપિયા ૩૮,૦૦,૦૦૦/-નો ધંધો કર્યો છે. જાે કે ધંધા બાબતે પુરાવા દુકાનમાં દેખાતા નથી જેના કારણે ધંધો શંકાસ્પદ હોવાનું કહી પેનલ્ટીની વાત કરી હતી. પહેલા રૂપિયા વીસ હજાર લાંચની માંગણી કરી હતી.

ત્યારબાદ, સુરત શહેર વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉપર આવેલ વેપારીના ભાઇના ઓફીસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા બન્ને તે વખતે રકઝકના અંતે ફરીયાદી પાસે છેલ્લે રૂપિયા પંદર હજાર લાંચની માંગણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.