Western Times News

Gujarati News

દ્વારકાધીશના દર્શન કરી મુખ્યમંત્રીએ પાદુકા પૂજન કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પુજારી પરિવાર દ્વારા મંત્રોચારથી મુખ્યમંત્રીએ પાદુકા પૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટ, તેમજ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ,

પુર્વમંત્રી મુળુભાઈ બેરા,જિલ્લા પંચાયતના ચેરમેન જે.કે.હાથિયા, જિલ્લા પંચાયતના સભ્ય લુણાભા સુમણીયા, વનરાજભા માણેક, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ વિજયભાઈ બુજડ, રમેશભાઈ હેરમા, ખેરાજભા કેર, મોહનભાઇ બારાઈ, નયનાબા રાણા, ધવલ ચંદારાણા, પ્રકાશભાઈ વાઘેલા, અશોકભાઈ ડાભી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા તેમજ એસ.પી. નિતેશ પાંડે સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉપરાંત હેલિપેડ ખાતે સંસદ સભ્ય પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા અગ્રણી વી.ડી.મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, જિલ્લા સંગઠન અગ્રણીઓ યુવરાજસિંહ વાઢેર, મયુરભાઈ ગઢવી, શૈલેશ કણજારીયા, ધનાભાઈ રબારી, ધરણાતભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા અને એસપી નિતેશ પાંડે સહિતનાએ સ્વાગત કર્યું હતું.

પુજારી પરિવાર દ્વારા ભોગભંડાર (જ્યા ભગવાનનો પ્રસાદ બનાવવામાં આવે છે ) અતિ જર્જરિત થયો હોવાથી તાત્કાલિક તેનું નિર્માણ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જેના ઉત્તરમાં આ કામનું જલ્દીથી કરવામાં આવશે તથા તેનું ભૂમિપૂજન સ્વયં કરશે તેવું ભુપેન્દ્રભાઈ પટેલે પુજારી પરિવારને જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા બીચ ના વિકાસ માટે- લોકોની સુવિધા માટે ચાલી રહેલા પર્યટનલક્ષી કામોનું નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિભાવ આપતા કહ્યું કે, આજે જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન અને પૂજન કર્યા હતા. રાજ્યની પ્રજાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાનશ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. અને મંદિર કક્ષના વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.