Western Times News

Gujarati News

3192 કરોડના ખર્ચે તૈયાર થનારો અમદાવાદ-ઉદયપુર હાઈવે પ્રોજેકટ જૂનમાં પૂરો થશે

પ્રતિકાત્મક

જયારે છેલ્લાં ત્રણ વર્ષમાં રાજયની રૂપિયા પ૦ હજાર કરોડથી વધુની કિમતના ૮૪ નેશનલ હાઈવે પ્રોજેકટ પુર્ણ થયા છે.

ગાંધીનગર, તાજેતરમાં કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે, અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પ્રોજેકટ (Ahmedabad Udaipur national highway project)  આ જુન મહીનામાં પુર્ણ થશે.

માર્ગ પરીવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ સિકસ લેન નેશનલ હાઈવે પ્રોજેકટની સ્થિતી અને પરીયોજના માટે ફાળવવામાં આવેલા ભંડોળ અંગેના પ્રશ્નના જવાબમાં હયું કે ઉદયપુરથી શામળાજી સુધીનો માર્ગ ૩૧ મે ર૦૧૧ ના રોજ પુરો થઈ ગયો છે.જે રૂપિયા ર૦૮૮ કરોડનો ખર્ચે તૈયાર થયો છે.

આ દરમ્યાન રાજયસભાના સાંસદ પરીમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન ગુજરાતમાં રૂપિયા ૩૧૯ર કરોડના નેશનલ હાઈવે પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. જયારે છેલ્લાં ત્રણ વર્ષમાં રાજયની રૂપિયા પ૦ હજાર કરોડથી વધુની કિમતના ૮૪ નેશનલ હાઈવે પ્રોજેકટ પુર્ણ થયા છે.

મંત્રીએ જણાવ્યું હતુંકે હાઈવેના ઉદયપુર નરોડા પંથકમાં ૮૭ પદયાત્રી અંડરપાસ, વાહનોના અંડરપાસ, વાહનોના ઓવરપાસ, પશુ અંડરપાસ અને રોડ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યયા મોટા ચિલોડા પંથકમાં સિકસલેન જુન ર૦ર૩ સુધીમાં રૂપિયા ૧૩૬૧ કરોડના ખર્ચે પુર્ણ થવાને અંદાજ છે.

મોટા ચિલોડા અને નરોડા વચ્ચેના ભાગ રૂપિયાય ૩૯૪ કરોડના ખર્ચે આગામી ૩૦ એપ્રીલ ર૦ર૩ સુધીમાં પુર્ણ થવાની ધારણા છે. મંત્રીએ વધુમાં ઉમેયું હતું કે નેશનલ હાઈવેનો વિકાસ અને જાળવણી એ સતત પ્રક્રિયા છે. વિગતવાર પ્રોજેકટ રીપોર્ટ ટ્રાફીકી વોલ્યુમ અને સંશોધનની ઉપલબ્ધતાના આધારે ક્રમીક વર્ષોમાં હાથ ધરવામાં આવનારા પ્રોજેકટસને અંતીમ સ્વરૂપ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.