Western Times News

Gujarati News

નાગા-સમંતાના લગ્નજીવનમાં હોમબ્રેકર બની શોભિતા?

મુંબઈ, નાગા ચૈતન્ય અને સમંતા રુથ પ્રભુ ઓક્ટોબર ૨૦૨૧માં સેપરેટ થયા ત્યારે માત્ર તેના પરિવારના સભ્યો જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના ખાસ મિત્રો તેમજ ફેન્સને પણ જબરદસ્ત આઘાત લાગ્યો હતો. હંમેશા કપલ ગોલ્સ આપતા રહેતા આ બંનેના અલગ થવાની વાત ઘણા પચાવી શક્યા નહોતા. Sobhita became a home breaker in Naga-Samantha’s married life?

ઘણાએ મિસકેરેજ તેમજ દગા સહિતની અટકળો લગાવી હતી. જાે કે, બંનેમાંથી કોઈએ પણ ચોક્કસ કારણનો ખુલાસો આજ સુધી કર્યો નથી. તેમના સેપરેશનને દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને તેઓ જીવનમાં આગળ વધી ગયા છે. એક્ટર જ્યાં એક તરફ શોભિતા ધુલિપાલાને ડેટ કરી રહ્યો હોવાની ઘણા સમયથી ચર્ચા છે તો સમંતા પણ ફરીથી પ્રેમમાં પડવા તૈયાર છે. બંનેના લગ્નજીવનમાં શોભિતાના કારણે તિરાડ પડી હોવાના રિપોર્ટ્‌સ વહેતા થતાં ચૈતન્યએ જવાબ આપ્યો હતો.

એક એન્ટરટેન્મેન્ટ ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં નાગા ચૈતન્યએ કહ્યું હતું કે, મીડિયા તેવી ત્રીજી વ્યક્તિને સમગ્ર મુદ્દામાં ઘસેડી રહ્યું છે જેને તેના ભૂતકાળ સાથે કોઈ લેવાદેવા જ નથી. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, આમ કરવું તે ત્રીજી વ્યક્તિ માટે ખરેખર અપમાનજનક છે. કારણ કે, તેને બિનજરૂરી રીતે ભૂતકાળમાં સામેલ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, નાગા ચૈતન્ય અને શોભિતા છેલ્લા ઘણા મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે.

એક્ટ્રેસે કથિત બોયફ્રેન્ડના જ્યુબિલી હીલ્સ સ્થિત નવા ઘરની મુલાકાત લીધી હોવાના પણ રિપોર્ટ્‌સ હતા. જાે કે, બંનેમાંથી કોઈએ આ વાત સ્વીકારી નથી. પરંતુ તેમના અફેરની ખબરને જાેર ત્યારે મળ્યું હતું જ્યારે બંને ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે લંડન પહોંચ્યા હતા. ત્યાંથી તેમની ઘણી તસવીરો સામે આવી હતી, જેમાથી એક ડિનર ડેટ દરમિયાનની પણ હતી.

આ ઈન્ટરવ્યૂમાં નાગા ચૈતન્યએ અંગત જીવન સાથે જાેડાયેલા બિનજરૂરી સવાલો સાથે કેવી રીતે ડિલ કરે છે તેના વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, લોકો હજી પણ કેમ સમંતા રુથ પ્રભુ સાથેના લગ્ન વિશે પૂછતાં રહે છે તે તેને સમજાતું નથી. તેણે ઉમેર્યું હતું કે ‘લોકો હજી પણ કેમ અટકળો લગાવી રહ્યા છે.

હું મૂવ ઓન કરી ચૂક્યો છું. અમે બે વર્ષ પહેલા અલગ થયા હતા અને એક વર્ષ પહેલા અમારા ડિવોર્સ થયા હતા. અમે બંને આગળ વધી ગયા છે અને મારા મનમાં હજી પણ સમંતા પ્રત્યે આદર છે’. તેણે સમંતાને પ્રેમાળ વ્યક્તિ ગણાવી હતી અને તે માત્ર ખુશીને હકદાર છે તેમ કહ્યું હતું. જ્યારે મીડિયા અટકળો લગાવે છે ત્યારે તેમની વચ્ચે વધુ ગૂંચવણભરી સ્થિતિ થઈ જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.