દહેગામ મામલતદાર કચેરીમાં કર્મચારીના વિદાય સમારંભમાં હ્ય્દયદ્રાવક દ્રશ્યો સર્જાયા
ગાંધીનગર, દહેગામ સેવા સદનમાં આવેલી મામલતદાર કચેરીમાં એજયુકેટીવ મેજિસ્ટ્રેટની ઓફિસમાં સેવા તરીકે ૩૯ વર્ષથી ફરજ બજાવતા ભીખાજી કાળાજી ઠાકોર વય નિવૃત થયા હતા. તેમના સન્માનમાં સેવાસદનના તમામ કર્મચારી ગણ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ વિદાય સમારંભમાં હદયદ્રાવક દ્રશ્ય જાેવા મળ્યા હતા. મામલતદાર રોનક કપૂરે ભીખાજી ઠાકોરને પોતાના વડીલ અને પરિવારના સભ્ય ગણાવ્યા હતા. તમામ કર્મચારીઓએ ભીખાજી ઠાકોરની નિષ્ઠાપૂર્વકની અને પ્રમાણિકતા ભરી ફરજને બિરદાવી હતી
અને આગામી ભવિષ્ય સુધી સંપન્ન અને આરોગ્યપ્રદ નીવડે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાલ શ્રીફળ આપીને સન્માન કર્યું હતું મુળ આમજા ગામના વતની ભીખાજી ઠાકોર ૧૯૮૪માં દહેગામ મામલતદાર કચેરીમાં પટાવાળા તરીકે ફરજ ઉપર જાેડાયા હતા અને ૩૯ વર્ષની સેવા આપ્યા બાદ રિટાયર્ડ પણ આ જ કચેરીમાંથી થયા છે.