Western Times News

Gujarati News

મુઝફ્ફરપુરમાં ખીલ્યું કલ્પવૃક્ષનું દુર્લભ ફૂલ

નવી દિલ્હી, કલ્પવૃક્ષ ખૂબ જ દુર્લભ છે, કહેવાય છે કે, તે સ્વર્ગનો છોડ છે, શાસ્ત્રો અનુસાર આ કલ્પવૃક્ષ દેવલોક અને ચંદ્રલોકમાં પણ હોય છે. કલ્પવૃક્ષ પૃથ્વી પર માત્ર અમુક જગ્યાએ જ જાેવા મળે છે, ક્યાંક કલ્પવૃક્ષ જાેવા મળે છે, પરંતુ કલ્પવૃક્ષનું ફૂલ ભાગ્યે જ લોકોને જાેવા મળે છે અને આમાં ખીલેલા ફૂલને જાેવાને લોકો પોતાનું સૌભાગ્ય માને છે. કોલેજમાં કલ્પવૃક્ષની સંભાળ રાખનાર માળી હરેન્દ્ર કહે છે કે, લગ્ન બાદ ૧૨ વર્ષ સુધી તેને સંતાન નહોતું, સતત કલ્પવૃક્ષની સેવા કરીને તેને સંતાન પ્રાપ્ત થયું. પ્રિન્સિપાલ ઓ.પી.રાયનું કહેવું છે કે, તેમણે તેમના જીવનમાં પહેલીવાર કલ્પવૃક્ષનું ફૂલ જાેયું છે, તે કોલેજ માટે પણ ખૂબ જ ખુશીનો સંયોગ છે.

જાે કદાચ તમને ક્યાંક કલ્પવૃક્ષનું ઝાડ જાેવા મળી જાય પરંતુ ભાગ્યે જ લોકોને કલ્પવૃક્ષનું ફૂલ જાેવા મળતુ હોય છે. અને લોકો આ વૃક્ષમાં ખીલેલા ફૂલને જાેવાને પોતાનું સૌભાગ્ય માને છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.