Western Times News

Gujarati News

ચોટીલા નજીક ટીવીમાં વિસ્ફોટ થતાં માતા-પુત્રીના મોત

રાત્રે સીરિયલ જાતા સમયે અચાનક જ ટીવીમાં વિસ્ફોટના પગલે સમગ્ર ઘરમાં
આગ પ્રસરી જતાં માતા-પુત્રી ભડથું થઈ ગયા

(પ્રતિનિધિ) અમદાવાદ : ગઈકાલ મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક આવેલા એક ગામમાં ચોંકાવનારી ઘટના ઘટી હતી મનપસંદ ટીવી સીરીયલ માતા-પુત્રી ટીવી પર નીહાળી રહયા હતા ત્યારે અચાનક જ ટીવીમાં વિસ્ફોટ થતાં માતા-પુત્રીના સ્થળ પર જ મોત નીપજયા હતાં વિસ્ફોટના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ વિસ્ફોટના કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી અને આગમાં માતા-પુત્રી ભડથુ થઈ ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે ટેલીવીઝન પર અનેક જાણીતી ટીવી સિરીયલો આવતી હોય છે ખાસ કરીને રાત્રિના સમયે આવી ટીવી સિરિયલો જાનારો વર્ગ ખુબ જ મોટો હોય છે મહિલાઓમાં ટીવી સીરીયલ જાવાનું પ્રમાણ વધુ હોય છે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા નજીક આવેલા એક ગામમાં ગઈકાલે રાત્રે માતા-પુત્રી સાથે બેસીને ટીવી સીરીયલ નીહાળી રહયા હતા આ દરમિયાનમાં અચાનક જ ટીવીમાં ધડાકો થયો હતો ધડાકો થતાંની સાથે જ ઘરમાં આગ લાગી ગઈ હતી અને ગણતરીની મીનીટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું બીજીબાજુ વિસ્ફોટના અવાજ અને આગ લાગવાની ઘટનાથી આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા પરંતુ સમગ્ર ઘરમાં આગ પ્રસરી ગઈ હતી જેના પરિણામે નાગરિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ આવી પહોચી હતી જાકે સ્થાનિક નાગરિકોએ પાણી છાંટીને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી પોલીસે આગ કાબુમાં આવ્યા બાદ ઘરમાં તપાસ કરતા તેમાંથી માતા-પુત્રીના મૃતદેહ ભડથુ થઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હતાં ટીવીમાં બ્લાસ્ટ કઈ રીતે થયો તેનું કારણ જાણવા મળ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.