Western Times News

Gujarati News

માતા બન્યાં બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ પંખુરી અવસ્થી

મુંબઈ, ટીવી એક્ટર ગૌતમ રોડે અને પંખુરી અવસ્થી તાજેતરમાં જાેડિયા બાળકોના માતા-પિતા બન્યા છે. પંખુરીએ તારીખ ૨૫ જુલાઈના રોજ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંને સ્વસ્થ છે. પંખુરી અને બંને બાળકોને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ગૌતમ તાજેતરમાં જ ઘરે પરત ફર્યો હતો.

પંખુરીને ૩૦ જુલાઈના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ કપલના ઘરે જુડવા બાળકોનો જન્મ થયો છે, તે પણ એક દીકરો અને એક દીકરી. ટીવી એક્ટર પંખુરી અવસ્થી અને ગૌતમ રોડે તેમના બાળકોને સાથે રાખીને હોસ્પિટલની બહાર આવ્યા.

તેમણે ખુશીથી પાપારાઝી માટે પોઝ આપ્યો અને દરેકનો આભાર માન્યો હતો. જ્યારે પાપારાઝીએ પંખુરી અને ગૌતમને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા ત્યારે અભિનેત્રીએ કહ્યું, ‘તમારા બધાના આટલા પ્રેમ માટે આભાર. અમારા બાળકોને આવા જ આશીર્વાદ આપતા રહો. આ આપણને જરૂર છે. જ્યારે ગૌતમ રોડેએ કહ્યું, ‘આપણે બધાને આશીર્વાદની જરૂર છે.

જાેડિયા બાળકોના માતા-પિતા બન્યા પછી ગૌતમ રોડે અને પંખુરી અવસ્થીએ વાત કરી અને કહ્યું કે તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે. હવે તેમનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે. તેઓ ખુશ છે કે બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ અને સારા છે. ગૌતમ અને પંખુરી અગાઉ દીપિકા કક્કર-શોએબ ઈબ્રાહીમ, સના ખાન, ગૌહર ખાન અને ઝૈદ દરબાર પણ આ વર્ષે માતા-પિતા બન્યા છે.

ગૌતમ રોડે અને પંખુરી અવસ્થીની પહેલી મુલાકાત ટીવી શો ‘રઝિયા સુલતાન’ના સેટ પર થઈ હતી અને ત્યારે જ તેમની મિત્રતા થઈ હતી. પરંતુ બંને જ્યારે ટીવી શો ‘સૂર્યપુત્ર કર્ણ’માં સાથે જાેવા મળ્યા ત્યારે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ ૨૦૧૭માં ગૌતમ રોડે અને પંખુરીની સગાઈ થઈ અને એક વર્ષ બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.