Western Times News

Gujarati News

એક્ટિંગ છોડીને સંન્યાસી બનેલી નુપૂર કેદારનાથમાં ફસાઈ

મુંબઈ, એક્ટિંગ અને શૉબિઝની દુનિયા છોડીને સંન્યાસી બની ગયેલી અભિનેત્રી નૂપુર અલંકાર તાજેતરમાં કેદારનાથમાં ફસાઈ ગઈ હતી અને તેને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવી હતી.

નૂપુર અલંકાર તાજેતરમાં કેદારનાથની મુલાકાતે ગઈ હતી, પરંતુ ત્યાં ભૂસ્ખલનમાં ફસાઈ ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર બચાવનો એક વીડિયો શેર કર્યો છે અને આ સમગ્ર વાત જણાવી છે. નૂપુર અલંકારે ‘શક્તિમાન’, ‘ઘર કી લક્ષ્મી બેટીયાં’ અને ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજાે’ જેવી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું હતું.

પરંતુ, ૨૦૨૨માં તે બધું છોડીને સંન્યાસી બની ગઈ. હવે તે માત્ર ભગવાનની ભક્તિમાં જ વ્યસ્ત રહે છે. તે દેશભરના મંદિરોમાં દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા જાય છે. નૂપુર અલંકાર તાજેતરમાં જ ઉત્તરાખંડમાં બાબા કેદારનાથના દર્શન કરવા ગઈ હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. નૂપુર અલંકારે આરામથી કેદારનાથ બાબાની મુલાકાત લીધી હતી. પરંતુ આવતી વખતે તે ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાઈ ગઈ હતી.

તેની સાથે અન્ય લોકો પણ હતા. ત્યારબાદ તેને અને અન્ય લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. નૂપુરે વીડિયો શેર કરીને જણાવ્યું કે અહીં તે એક ડિગ્રી તાપમાનમાં બચી ગઈ હતી. નૂપુર અલંકારે શૉબિઝની દુનિયા છોડીને ધાર્મિક યાત્રા શરૂ કરી હતી. સંન્યાસી બન્યા પછી તેણે પોતાનો પરિવાર પણ છોડી દીધો.

નૂપુર અલંકાર તેની ધાર્મિક યાત્રાની તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરતી રહે છે. નૂપુર લગભગ ૨૭ વર્ષ સુધી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો રહી અને પછી તેણે આ બધું જ છોડી દીધું. તેણે ઘર અને સંસાર પણ છોડી દીધા. ઘર છોડવાની સાથે નૂપુર મુંબઈ શહેર છોડીને હિમાલયમાં ચાલી ગઈ હતી. ત્યારથી તે પોતાની ધાર્મિક યાત્રા પર જ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.