Western Times News

Gujarati News

રોકી ઓર રાની કી પ્રેમ કહાની જોઈને રડી પડ્યો અનુરાગ કશ્યપ

મુંબઈ, બોલિવૂડ એક્ટર આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફેન્સ અને ક્રિટિક્સને ખૂબ જ પસંદ આવી રહી છે. કરણ જાેહર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૨૮ જુલાઈએ રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. હવે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે આ ફિલ્મની સમીક્ષા કરી છે. તેણે કલાકારોને તેમના શાનદાર અભિનય માટે અભિનંદન આપતી એક નોંધ લખી છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે તે આ ફિલ્મ જાેતી વખતે રડ્યો હતો.

મતલબ કે જાણીતો લેખક ડિરેક્ટર અનુરાગ કશ્યપ આ ફિલ્મ જાેતાં ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો હતો. અનુરાગ કશ્યપે ઇન્સ્ટાગ્રામ પરથી ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ પર પ્રેમનો વરસાદ કર્યો છે અને તેને કરણ જાેહરની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ જણાવી છે.

બાદમાં અનુરાગ કશ્યપને પણ આ અંગે ટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ તે ચૂપ ન રહ્યો અને એક યુઝરને એવો જડબાતોડ જવાબ આપ્યો કે તેની કોમેન્ટ વાયરલ થઈ ગઈ. એક ટ્રોલ અનુરાગ કશ્યપને કહે છે કે આ ફિલ્મ જાેયા પછી તેની આંખો સાફ કરવા માટે તેને ‘ઓપેનહાઇમર’ જાેવાની જરૂર છે. તેના જવાબમાં તેણે લખ્યું કે, ‘ટિકિટ જાેઈ બંનેની?.

આ પહેલા અનુરાગ કશ્યપે કરણ જાેહરના વખાણ કરતા લખ્યું હતું કે, ‘હું જે કરણ જાેહરને ઓળખું છું તે આ ફિલ્મમાં સંપૂર્ણપણે જાેવા મળ્યો છે. આ ફિલ્મમાં તેના મનપસંદ ભાગ વિશે વાત કરતા, અનુરાગે શેર કર્યું કે, ‘આ ફિલ્મનો શ્રેષ્ઠ ભાગ ધર્મેન્દ્ર અને શબાના આઝમીની એકતરફી પ્રેમ કથા અને જયા બચ્ચનનો ઉગ્ર અવતાર છે.

આ સિવાય તમામ કલાકારો ખૂબ સારા હતા. જૂના ક્લાસિક ગીતોના ઉપયોગથી મને ખૂબ મજા આવી. આ સિવાય અનુરાગ કશ્યપે આખી ફિલ્મ અને તેની કાસ્ટની પ્રશંસા કરી હતી. આ ફિલ્મે સંપૂર્ણપણે મનોરંજન કર્યું. હું હસ્યો અને રડ્યો અને માનો કે ન માનો, બે વાર આ ફિલ્મ જાેઈ. આ એક એવી હિન્દી ફિલ્મ છે, જેને હું ઘણા સમયથી મિસ કરી રહ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.