Western Times News

Gujarati News

અભિનેતા સંજય દત્તે ઘરના ધાબા પર કરી શિવજીની પૂજા

મુંબઈ, સંજય દત્ત બહુ મોટા શિવભક્ત છે. એક્ટરે સોમવારે મુંબઈમાં પોતાના ઘરે શિવ પૂજાનું આયોજન કર્યું હતું. માન્યતાએ સંજયની આ પોસ્ટ પર લખ્યું છે – હર હર મહાદેવ. આ તસવીરોમાં સંજય દત્તના ઘરની બહાર ટેરેસ વિસ્તારમાં સોનેરી શિવલિંગ દેખાય છે. આ તસવીરોમાં સંજય દત્ત શિવલિંગની પૂજા કરતા અને તેને જળ ચઢાવતા જાેવા મળે છે. તાજેતરમાં જ પોતાનો ૬૪મો જન્મદિવસ ઉજવનાર સંજય દત્ત શિવની ભક્તિમાં મગ્ન લાગે છે. તેણે ભગવાન શંકરની પૂજા કરી છે.

સંજય દત્તની ભક્તિથી તેના ચાહકો ઘણાં ખુશ દેખાઈ રહ્યા છે. લોકોએ ઘણી વસ્તુઓ પણ લખી છે. ઘણાં લોકોએ ‘હર હર મહાદેવ’, ‘જય ભોલેનાથ’ લખીને સંજુ બાબા માટે પ્રેમ વરસાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં સંજય દત્તે કહ્યું હતું કે હું ત્યારે ખૂબ શરમાળ વ્યક્તિ હતો. માટે મેં કૂલ દેખાવાનું નક્કી કર્યું હતું. મને એવું લાગતું હતું કે ડ્રગ્સનું સેવન કરવાથી હું છોકરીઓની સામે કૂલ દેખાઈશ. મેં મારા જીવનના ૧૦ વર્ષ રૂમ અથવા બાથરૂમમાં પસાર કર્યા છે. મને શૂટિંગમાં પણ કોઈ રુચિ નહોતી.

ત્યારબાદ લોકો મને ‘ચરસી’ કહીને બોલાવતા હતા. પછી મેં કસરત કરવાની શરૂ કરી અને મારામાં ઘણો બદલાવ આવ્યો. પછી લોકો એવું કહેતા હતા કે વાહ શું બૉડી છે.

પોતાના કેન્સર સામેના સંઘર્ષ વિશેની વાત કરતા સંજય દત્તે કહ્યું હતું કે જ્યારે મને એ વાતની જાણ થઈ કે મને કેન્સર થયું છે ત્યારે હું કલાકો સુધી રડ્યો હતો. સંજય દત્તના જણાવ્યા મુજબ, પહેલા તો મને અને ડૉક્ટરને એવું લાગ્યું કે કદાચ ટીબી હશે કારણકે એક્સ-રેમાં અડધાથી વધારે ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું.

પણ, તે કેન્સર હતું. એક્ટર સંજય દત્તે વધુમાં જણાવ્યું કે કેન્સરની સારવાર દરમિયાન કીમોની થેરાપી બાદ હું દરરોજ સાઈકલ ચલાવતો હતો અને ૨થી ૩ કલાક બેડમિન્ટન રમતો હતો. હવે સંજય દત્ત એકદમ સ્વસ્થ છે અને કેન્સરમાંથી મુક્ત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.