Western Times News

Gujarati News

વીરહેલ્થ કેર લિમિટેડ 1:1 બોનસ આપશેઃ શેર મૂડી 21 કરોડથી વધીને 31 કરોડ થઈ

કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 21 કરોડથી વધીને રૂ. 31 કરોડ થઈ-વીરહેલ્થ કેર લિમિટેડે 1:1 બોનસ માટે 22 સપ્ટેમ્બરની રેકોર્ડ તારીખ નક્કી કરી

13 સપ્ટેમ્બર, 2023 આયુર્વેદિક, હર્બલ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની વીરહેલ્થ કેર લિમિટેડે બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા માટે શેરધારકોની યોગ્યતા સુનિશ્ચિત કરવાના હેતુથી 22મી સપ્ટેમ્બરની રેકોર્ડ તારીખ નક્કી કરી છે.

14 ઓગસ્ટ, 2023ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેરના ઇશ્યૂને મંજૂરી આપી છે એટલે કે દરેક 1 ઇક્વિટી શેર માટે 1 સંપૂર્ણ ચૂકવેલ ઇક્વિટી શેર. બોર્ડે કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 21 કરોડથી વધારીને રૂ. 31 કરોડ કરવાની પણ મંજૂરી આપી છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભા 11 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાઈ હતી.

કંપની સ્કિનકેર, બોડીકેર, હેરકેર, ઓરલકેર, હેલ્થકેર અને ફ્રેગરન્સમાં 100થી વધુ હર્બલ અને આયુર્વેદિક પ્રોડક્ટ્સનો મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીની બ્રાન્ડ ‘આયુવીર’ અને તેનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્થાનિક અને નિકાસ બજારોમાં મજબૂત આકર્ષણ મેળવી રહ્યું છે. કંપનીએ અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં નિકાસ શરૂ કરી છે.

કંપનીના ક્લાયન્ટમાં દવા ઈન્ડિયા, ગ્રેસિયસ ફાર્મા, બાબુલિન, ગ્રેસિયેરા ફાર્મા, અપોલો ફાર્મસી વગેરેનો સમાવેશ થાય છે. કંપની ગ્રાહકોની વિવિધ સ્વાસ્થ્ય જરૂરિયાતોને પહોંચી વળવા સંશોધન આધારિત ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવીને હેલ્થ કેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની અગ્રણી પ્રદાતા બનવાનું વિઝન ધરાવે છે.

વીરહેલ્થકેર કેર લિમિટેડે નાણાંકીય વર્ષ 2023માં વ્યવસાયિક કામગીરીને સફળતાપૂર્વક પરિવર્તન કર્યું છે અને વૃદ્ધિના આગલા તબક્કા તથા આવક અને નફામાં વિશાળ છલાંગ લગાવવા માટે તૈયાર છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ કુલ આવકમાં વાર્ષિક ધોરણે 28% અને ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 294% ની વૃદ્ધિ નોંધાવી છે.

કંપની તેના લાંબા ગાળાના વિકાસ રોડમેપ પર સારી રીતે પ્રગતિ કરી રહી છે અને તેની વિસ્તરણ યોજનાઓ પહેલાથી જ પૂર્ણ કરી છે. કંપનીની ‘આયુવીર’ બ્રાન્ડને સ્થાનિક અને નિકાસ બજારોમાં સારું સ્થાન મળી રહ્યું છે અને કંપની આવનારા સમયમાં ઘણી નવીન પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

માર્ચ 2023ના મહિનામાં, કંપનીએ રૂ. 10ના દરેક એવા 30.65 લાખ ઇક્વિટી શેર, દરેક શેર દીઠ રૂ. 19.25ના દરે પ્રેફરન્શિયલ એલોટમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેમાં શેર દીઠ રૂ. 9.25ના પ્રીમિયમનો સમાવેશ થાય છે અને કુલ રકમ રૂ. 5.90 કરોડ થાય છે. આ ભંડોળનો ઉપયોગ કંપનીની ઉત્પાદન સુવિધાઓના વિસ્તરણ, નવી પ્રોડક્ટ લોન્ચ કરવા અને નવી મેન્યુફેક્ચરિંગ લાઇન્સ સ્થાપવા માટે કરવામાં આવી રહ્યો છે.

કંપનીએ તાજેતરમાં મોરોક્કો, કાસાબ્લાન્કા વગેરે સહિત ઉત્તર પશ્ચિમ આફ્રિકન દેશોમાં “વ્હાઈડેન્ટ” રેન્જની ટૂથપેસ્ટ સપ્લાય કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું નિકાસ બજારમાં તેની હાજરીને વિસ્તારવા અને નિકાસ વેચાણ વધારવા માટે કંપનીની વિસ્તરણ યોજનાનો એક ભાગ છે. કંપની પહેલાથી જ પૂર્વ આફ્રિકન દેશોમાં વિવિધ પ્રકારની ટૂથપેસ્ટનું સફળતાપૂર્વક ઉત્પાદન અને નિકાસ કરી રહી છે.

કંપની મુંબઈના પ્રખ્યાત વૈદ અને 30 વર્ષથી આયુર્વેદિક પ્રેક્ટિશનર ડો. વિનોદ સી. મહેતા અને કોસ્મેટિક અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના ફોર્મ્યુલેશ્સના નિષ્ણાંત ડો. રાજીવ ભીરુડના પ્રચંડ અનુભવ તથા નિષ્ણાંત માર્ગદર્શન સાથે સઘન સંશોધન આધારિત ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપની શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ સાથે સંસાધનોનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ અને કુશળ કર્મચારીઓથી સજ્જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.