સગીરાને ભગાડી જઈ બળાત્કાર ગુજારનારને ર૦ વર્ષની સજા
સગીરાનું અપહરણ કરીને યુવક મોરબી લઈ ગયો હતો
ગોધરા, સગીરાનું લગ્ન કરવાના ઈરાદે ભગાડી લઈ જઈ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર યુવાનને ગોધરા સેશન્સ કોર્ટ દ્વારા વીસ વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના સીરાપુરીનો ભારત બળવંતભાઈ ડામોર (કટારા)એ ફરીયાદીની સગીર વયની પુત્રીને સમજાવી, પટાવી, ફોસલાવીને આરોપીએ તા.રરમી એપ્રિલ, ર૦રર ના રોજ આંગળીયા ગામના આશારામ આશ્રમની સામેના રોડે આવીને પિડીતાને તેની માતા સાથે ચાલતી જતી હતી ત્યાંથી ભગાડી ગયો હતો.
સગીરાને બાઈક પર બેસાડી મીરાપુર ગામે તેના ઘર પાસેના અછાલાના જંગલમાં લઈ ગયો હતો ત્યાં ત્રણ દિવસ રાત જંગલમાં રોકાયો હતો રાત્રીના સમયે આરોપીએ ભોગ બનનારને મીરાપુરી ગામેથી છુટક વાહનોમાં બેસાડી મોરબી લઈ ગયો હતો. ત્યાં તેઓ કડિયાકામની અને રાત્રીના પ્લાસ્ટીકની તાડપત્રીનો તંબુ બનાવી તેમા સુતા હતા ત્યારે આરોપીએ ભોગ બનનાર સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા.
આ બાબતે બેસ એડી. સેશન્સ જજ અને પોકસો કોર્ટના સ્પે. જજ રાકેશ જે. પટેલની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આર.એમ. ગોહીલની ધારદાર દલીલો ગ્રાહય રાખી નામદાર કોર્ટે આરોપી ભારતભાઈ બળવંતભાઈ ડામોર (ટારા) રહે. મીરાપુરી, તા.કલોલ, જી. પંચમહાલનાઓને કસુરવાર ઠેરવ્યો હતો તેમજ ઈ.પી.કો. ક.૩૬૩, ૩૬૬ના ગુના બદલ ૭ (સાત) વર્ષની સજા તથા રૂા.પ,૦૦૦ દંડ તથા દંડ ન ભરે તો
વધુ ૩ (ત્રણ) માસની સખત કેદની સજા તેમજ ઈ.પી.કો ક. ૩૭૬ (ર) (એન), ૩૭૬ (૩) તથા પોકસો એકટની કલમ-૪,૬ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં ર૦ (વીસ) વર્ષની સખત કેદની સજા તથા ૃરૂા..૧૦,૦૦૦નો દંડ ફરમાવ્યો હતો. જાે દંડ ના ભરે તો વધુ ૬ (છ) માસની સખત કેદની સજા ફરમાવવાનો હુમ કર્યો હતો.