Western Times News

Gujarati News

હૃદયરોગથી પીડિત વ્યક્તિઓને સ્વિમિંગ ન કરવા સલાહ

પ્રતિકાત્મક

(એજન્સી)રાજકોટ, રાજ્યમાં હાર્ટ અટેકના વધતા કેસને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતર્ક બની છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓમાં વધારો થયો હતો. જેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો ર્નિણય લીધો છે. સ્વિમિંગ સહિતની વધુ પડતી એક્સરસાઈઝ હૃદયની બીમારીવાળા વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. Persons suffering from heart disease are advised not to swim

આ જ સંદર્ભે યુનિવર્સિટીએ નોટિસ લગાવવાનું શરૂ કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગપુલ પર લગાવેલી નોટિસમાં હૃદયરોગની બીમારી ધરાવતા વ્યક્તિઓને સ્વિમિંગ સહિતની પ્રવૃતિથી દુર રહેવાની સૂચના આપવામાં આવી છે. તે સિવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ર્નિણય લીધો હતો કે સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સમાં રમતગમતની ટ્રેનિંગ માટે ફિટનેસ સર્ટિફિકેટ આવશ્યક કરવામાં આવ્યું છે.

હાર્ટને લગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તેવી વ્યક્તિએ રમતગમતની ટ્રેનિંગ લેવી નહીં. ફિટનેસ અંગે ડોક્ટરનું સર્ટિફિકેટ જે તે રમતના કોચને રજૂ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. બાસ્કેટબોલ, ટેનિસ, સ્વિમિંગ, જીમ, સહિતની રમત ગમત સ્થળોએ પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કુલ સચિવના આદેશ બાદ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. બે દિવસ અગાઉ રાજકોટમાં ૧૫ વર્ષીય કિશોરનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું. પૂજન નામનો આ કિશોર પિતાના બાઈક પાછળ બેસીને જઇ રહ્યો હતો. એ સમયે યુવકને ચાલુ બાઈકે હાર્ટ અટેક આવી જતાં તે ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું છે. ૧૫ વર્ષીય પૂજનનું અચાનક મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રાજકોટમાં ૧૫ વર્ષીય કિશોરનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.