Western Times News

Gujarati News

ગોમતીપુરમાં માસુમ પૌત્રી સાથે સાવકા દાદાએ શારીરિક છેડછાડ કરતા ચકચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગોમતીપુર વિસ્તારમાં સાવકા દાદાએ સાત વર્ષનની માસુમ પૌત્રીની શારીરિક છેડછાડ કરી ગુપ્તભાગને ઈજાઓ પહોંચાડતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સાધનો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી અશોકનગર સોસાયટી ખાતે રહેતી મનિષાબેન નરેશભાઈ ચોહાણે આ અંગે તેના સસરા પરસોતમ ચોહાણ વિરૂધ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવની ભીતરની વિગત એવી છે કે મનિષાબેનના લગ્ન અગાઉ અન્ય એક યુવાન સાથે થયા હતા. પરંતુ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી દોઢ વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા.

આ અગાઉના ત્રણ વર્ષના લગ્નજીવન દરમ્યાન તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો હતો. જે પુત્રી હાલ સાત વર્ષની છે. મનિષા તેના પિયરમાં સાત વર્ષની પુત્રી સાથે રહેતી હતી. દરમ્યાનમાં ત્રણ મહિના અગાઉ મનિષાબેન પુનઃ લગ્ન અશોકનગર સોસાયટીમાં રહેતા નરેશ ચૌહાણ સાથે થયા હતા.

લગ્ન બાદ મનિષા તેની પુત્રી સાથે નરેશના ઘરે અશોકનગર સોસાયટી ખાતે રહેતી હતી. ગઈ તા.રપ-૬-૧૯ના રોજ કોઈ નજીકના સંબંધીનું નિધન થયું હોવાને કારણે મનિષા તેની પુત્રીને પિયરમાં તેની માતા પાસે મુકી લોકાચાર માટે ગઈ હતી. તે દરમ્યાન સાત વર્ષની માસુમ બાળકીએ મનિષાની માતા સમક્ષ ગુપ્તભાગે બળતરા થતી હોવાની ફરીયાદ કરતા મનિષાની માતાએ બાળકીને વિસ્તૃત રીતે પૂછતાં બાળકીએ તેના સાવકા દાદા શારીરિક છેડછાડ કરતા હોવાનું અને ગુપ્તભાગે હાનિ પહોંચાડી હોવાનું જણાવ્યુ હતુ.

બાળકીની આ વાતથી ચોંકી ઉઠેલી મનિષાની માતા ચોંકી ઉઠી હતી. જ્યારે મનિષા પરત આવે ત્યારે તેને સમગ્ર વાતની જાણ કરી હતી. ત્યારબાદ મનિષા તેના સાસરે અશોકનગર સોસાયટી ખાતે ગઈ હતી. અને પુત્રી સાથે બનેલી સમગ્ર ઘટના મુદ્દે ઘરમાં જારદાર ઝઘડો થતાં મનિષા પુત્રીને લઈને ફરી તેના પિયરમાં આવી ગઈ હતી.

ત્યારબાદ સગાવહાલાઓને આ અંગે જાણ કરી છેવેટે મનિષાએ આ અંગે તેના સસરા પરસોત્તમ ચૌહાણ વિરૂધ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.