Western Times News

Gujarati News

જિયોએ અમરનાથની યાત્રા માટે રૂ. 102નો સ્પેશ્યલ અનલિમિટેડ પ્રીપેઇડ પ્લાન રજૂ કર્યો

અમદાવાદ: રિલાયન્સ જિયોએ અમરનાથ યાત્રા માટે જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 102નો સ્પેશ્યલ પ્રીપેઇડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. અમરનાથની યાત્રા અતિ પવિત્ર ગણાય છે અને દર વર્ષે ઉનાળા દરમિયાન ગુજરાતમાં હજારો યાત્રાળુઓ અમરનાથમાં બાબા બર્ફાનીનાં દર્શન કરે છે.

 દેશનાં અન્ય વિસ્તારોમાંથી પ્રીપેઇડ યુઝર્સ સરકારી નિયંત્રણોને કારણે જમ્મુ અને કાશ્મીરમાં રોમિંગ પર તેમનાં પ્રીપેઇડ કનેક્શનનો ઉપયોગ કરી શકતાં નથી. સામાન્ય રીતે રાજ્યમાં મુલાકાતીઓને તેમની ટૂંકી મુલાકાતો માટે નવું પ્રીપેઇડ સિમ લેવું પડે છે – સામાન્ય રીતે આ નંબરો તેમની મુલાકાત દરમિયાન કામચલાઉ હોય છે.

 ગુજરાતમાં આશરે 6.86 કરોડ મોબાઇલ યુઝર્સ છે અને એમાંથી આશરે 95 ટકા પ્રીપેઇડ યુઝર છે. ખાસ કરીને તેમનાં માટે જિયોએ જમ્મુ અને કાશ્મીરમાં જ વેલિડ નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનનો લાભ જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ જિયો રિટેલર્સ પાસેથી લઈ શકાશેજે અમરનાથ યાત્રા દરમિયાન ઉપલબ્ધ છે. આ માટે યુઝરને નવું કનેક્શન મેળવવું પડશે આ પ્લાન અનલિમિટેડ લોકલ અને નેશનલ વોઇસ કોલદરરોજ 100 એસએમએસ,અનલિમિટેડ ડેટા (દરરોજ 0.5 જીબી હાઈ સ્પીડ ડેટાપછી અનલિમિટેડ 64કેબીપીએસ ડેટા) અને 7 દિવસની વેલેડિટી ધરાવે છે.

 આ પ્લાન જિયો એપ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ નહીં થાયકારણ કે જિયો પ્રાઇમ મેમ્બરશિપ આ પ્લાનને લાગુ પડતી નથી. આ પ્લાન દેશનાં અન્ય વિસ્તારોમાંથી યાત્રાળુઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરેલો છેજેઓ પ્રીપેઇડ પ્લાન ધરાવે છે. જમ્મુ અને કાશ્મીરમાં દેશનાં અન્ય વિસ્તારોનાં પ્રીપેઇડ સબસ્ક્રાઇબર્સને રોમિંગની સુવિધા મળતી નથી એટલે યાત્રાળુઓને તેમની યાત્રા દરમિયાન કનેક્ટિવિટીનાં પડકારનો સામનો કરવો પડે છે.

 હવે યાત્રાળુઓ જિયોમાંથી જમ્મુ કાશ્મીરમાં નવું લોકલ પ્રીપેઇડ કનેક્શન મેળવી શકે છે અને તેમનાં નવી લોકલ જમ્મુ અને કાશ્મીર નંબર સાથે 7-દિવસ અનલિમિટેડ પ્રીપેઇડ પ્લાન પર નાણાંની સામે શ્રેષ્ઠ સુવિધા મેળવી શકે છે તેમજ તેમની યાત્રા દરમિયાન તેમનાં સગાસંબંધીઓ સાથે સતત જોડાણમાં રહી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.