Western Times News

Gujarati News

ભારતીય સૈનિકોએ બર્બરતાનો બદલી લીધોઃ કર્નલ બી.સંતોષ

હિંદના જાંબાજાના શૌર્યથી ચીનની તાકાત પર એવું ગ્રહણ લાગ્યું કે જેની ચીન ક્યારેય પણ ભૂલી શકશે નહીઃ કર્નલ
નવી દિલ્હી, ગલવાન ઘાટીમાં ૧૫ જૂનના પોતાના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બી. સંતોષ બાબુના શહીદ થયા બાદ ભારતીય જવાનોને ચીની જવાનો પર કહેર વર્તાવ્યો. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોએ ચીનની બર્બરતાનો બદલો લીધો. ભારતીય જવાનોએ ચીનના સૈનિકોની ગરદન તોડી દીધી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત-ચીનના સૈનિકો વચ્ચે લગભગ ૪ કલાક સુધી ઝડપ ચાલી હતી.

એટલું જ નહી, ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં ચીનના ગુરૂરને ચકનાચૂર કરી દીધો છે. હિંદના જાંબાજાના શૌર્યથી ચીનની તાકાત પર એવું ગ્રહણ લાગ્યું કે જેની ટીસ ચીન ક્યારેય પણ ભૂલી શકશે નહી. સૂત્રોના અનુસાર, ગલવાન ઘાટીની ઝડપમાં ભારતીય સેનાના ચીનના એક કર્નલને જીવતો પકડી લીધો હતો. ભારતીય સેનાના સાથે ટકરાવમાં ચીનના ૪૫ થી ૫૦ સૈનિકો મારી દીધા હતા. ગલવાન ઘાટીથી સમાચાર આવ્યા છે, તે ચીનને લઈને વિચારધારા બદલનારા છે.

ચીન પોતાની તાકાતને વધારીને બતાવતું આવ્યું છે પરંતુ લદ્દાખની હિંસક ઝડપમાં ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો અને તેની સચ્ચાઈ દુનિયા સમક્ષ લાવી દીધી. રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના પ્રમુખો સથે લદ્દાખમાં સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક કરી. સૂત્રોના અનુસાર, રક્ષામંત્રીએ સમીક્ષા બેઠકમાં કહ્યું કે, સશસ્ત્ર બળોને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સેનાને કોઈપણ પ્રકારના આક્રમક વલણ સામનો કરવા માટે પૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે.

ચીનને અડીને આવેલી સીમાની રક્ષા માટે ભારતથી અલગ સામરિક રીત અપનાવશે. ભારતીય બળોને પૂર્વી લદ્દાખ અને અન્ય સેક્ટરોમાં ચીનના કોઈપણ દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.