Western Times News

Gujarati News

જળઝીલણી – પાર્શ્ચર્વતીની એકાદશીની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી

મહંત સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ભગવાનને જળ વિહાર કરાવવામાં આવી

આજે જળઝીલણી એકાદશીના રોજ ભાદરવા સુદ – એકાદશી જેને જળઝીલણી એકાદશી કહેવાય છે આજ રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે સવારે ૭ – ૪પ વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં  આવી.

મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ગામ ખાતેના ફાર્મ હાઉસમાં સવારે ૮ – ૦૦ વાગે શ્રી હરિકૃષ્ણમહારાજનું પૂજન અર્ચન આરતી કરવામાં આવશે અને ત્યારબાદ સ્પેશયલ જળનો કુંડ તૈયાર કરવામાં આવ્યો છે જેની અંદર શ્રી ઘનશ્યામ મહારાજને નૌકાવિહાર કરાવવામાં આવશે. આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત એકાદશીના પદો ગવાશે અને ત્યારબાદ મહંત સ્વામી આશીર્વચન પાઠવશે. આ સમગ્ર કાર્યક્રમનો દેશ – વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું

આ એકાદશી કુમકુમ મંદિરના સર્વ સંતો અને સત્સંગીઓ નકોરડો ઉપવાસ કરશે. ૯૯ વર્ષીય મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પણ નકોરડો ઉપવાસ કરશે. શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ – મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ભાદરવા સુદ – એકાદશી જળઝીલણી – પાર્શ્ચવતીની એકાદશી અંગે જણાવ્યું હતું કે, દેવશયની એકાદશી થી ચાતુમાસિનો પ્રારંભ થાય છે.ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી છે.

ભાદરવા સુદ – એકાદશી એ ભગવાન પડખું ફેરવે છે. તેથી આ એકાદશીને પાર્શ્ચવર્તીની એકાદશી કહેવાય છે. આ એકાદશીના દિવસે ભગવાનને નૌકાવિહાર કરાવામાં આવે છે.જળમાં ઝીલાવામાં આવે છે તેથી તેને જળઝીલણી એકાદશી પણ કહેવાય છે. કારતક વદ એકાદશીએ ભગવાન જાગૃત થાય છે તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે.

પંચરાત્રની અનંતસંહિતાના દસમાં અધ્યાયમાં આ દિવસોમાં થતાં તોયોત્સવનું વિધાન લખ્યું છે કે, આ દિવસોમાં ભગવાનને ૧૦૦૧ કળશથી નવા જળનો અભિષેક કરવામાં આવે છે.સ્નાન કરાવી નવાં વસ્ત્રો – અલંકાર ધારણ કરાવી ઠાકોરજીને નાવમાં બેસારવા,તથા સંતો – વિદ્વાનોને પણ નાવમાં બેસારવા અને સ્તુતિ – કીર્તન – ભજન ગાવવાં. આ દિવસે શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે યુમનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન જયારે મનુષ્ય સ્વરુપે દર્શન આપતા હતા ત્યારે તેમણે પણ ગઢપુર, કારીયાણી, અમદાવાદ આદિ અનેક સ્થળોએ ઘણી વખત જળ કીડા કરી છે. સંતોએ તે વણનના કીર્તનો પણ રચ્યા છે.આમ,જલઝીલણી એકાદશીનો ઉત્સવ વષીથી ઉજવાતો આવ્યો છે,આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને નાવમાં બેસાડી,સંતો – ભકતો તેમને જળમાં ઝીલાવવા લઈ જાય છે.ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો – ભક્તો આ એકાદશીએ નકોરડો ઉપવાસ કરે છે. – સાધુ પ્રેમવત્સલદાસજી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.