Western Times News

Gujarati News

હવે સરકારી નોકરી પણ સુરક્ષિત નથી

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે વધુ એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના કર્મચારીઓને જાહેર હિતને ધ્યાને રાખીને વહેલા નિવૃત્તિ આપી શકે છે. નોકરી દરમિયાન જે કર્મચારીઓની ઉંમર ૫૦-૫૫ પહોંચી ગઈ છે, જેમની ૩૦ વર્ષની નોકરી પૂર્ણ થઈ છે. પેન્શનના કાયદા મુજબ નિક્કી કરવામાં આવેલ આ બે માઇલ્સ્ટોન ભલે તેમણે પાર કરી લીધા હોય પરંતુ યોગ્ય પરફોર્મન્સના અભાવે તેમને નિવૃત્ત કરવામાં આવી શકે છે. તેઓ પણ પોતાની બાકીની નોકરીના સમયમાં સમીક્ષાને પાત્ર રહેશે. જો આવા કર્મચારીની નિયુક્તી કરનાર ઓથોરિટીને લાગશે કે બદલાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખીને તેમને સર્વિસ ચાલુ રાખવા માટે સમીક્ષા જરુરી છે તો કરવામાં આવી શકે છે. જાહેર કરવામાં આવેલ વ્યાખ્યાઓ સંબંધી કોઈપણ અસ્પષ્ટતાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.