Western Times News

Gujarati News

કોરોના પછીના કાળમાં રેલવે ટ્રેનોની સંખ્યામાં ઘટાડો કરાશે

રેલવે ઝીરો-બેઝ્‌ડ ટાઈમટેબલ દ્વારા તેની વાર્ષિક કમાણી ૧૫૦૦ કરોડ રૂપિયા વધારવા પર ધ્યાન આપી રહ્યું છે

નવી દિલ્હી, દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનને કારણે રેલવે સેવાઓ લગભગ ઠપ છે. આ દરમિયાન રેલવે લોકડાઉન એકદમ હટાવાય પછી નવા ઓપરેશનલ ટાઈમ ટેબલમાંથી ૫૦૦ રેગ્યુલર ટ્રેનો હટાવી શકે છે. એટલું જ નહીં લગભગ ૧૦ હજાર સ્ટોપ અર્થાત સ્ટેશનોને પણ રેલવે નેટવર્કમાંથી હટાવી શકે છે. હકીકતમાં, રેલવે આ ઝીરો-બેઝ્‌ડ ટાઈમટેબલ થકી આગળ પોતાની વાર્ષિક કમાણી ૧૫૦૦ કરોડ રૂપિયા વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. રેલવે આ વધારાની ૧૫૦૦ કરોડની કમાણી કોઈ ભાડા વધારા કે અન્ય ચાર્જ વધાર્યા સિવાય કરવા ઈચ્છે છે. રેલવેના અનુમાન અનુસાર વધારાની કમાણી ટાઈટેબલમાં આધારભૂત ફેરફાર થકી હાંસલ કરવા ઈચ્છે છે.

નવા ટાઈમટેબલ થકી ૧૫ ટકા માલવાહક ટ્રેનો માટે ફાળવાશે, જે સ્પેશિયલ કોરિડોર પર ફાસ્ટ સ્પીડથી ચલાવશે. આ સિવાય આખા રેલ નેટવર્કમાં ટ્રેનો ઓછી થવાથી પેસેન્જર ટ્રેનોની ગતિ પણ ૧૦ ટકા સુધી વધવાની આશા છે.
આ ટાઈમટેબલ રેલવેએ આઈઆઈટી બોમ્બેના નિષ્ણાતોની સાથે બિલકુલ નવેસરથી તૈયાર કર્યું છે. આ ટાઈમટેબલ પર લોકડાઉન બાદ જ કામ શરુ થઈ ગયું હતું, જ્યારે દેશભરમાં ટ્રેનો બંધ હતી. જે ટ્રેનોમાં વર્ષે સરેરાશ ૫૦ ટકા બેઠકો જ ભરાય છે તેવી ટ્રેનોને નવાં નેટવર્કમાં જગ્યા નહીં મળે. તેને બદલે તેમને અન્ય મોટી ટ્રેનો સાથે ભેળવી દેવાશે. કોઇ મોટું શહેર ના હોય તો લાંબા અંતરની ટ્રેનોમાં ૨૦૦ કિમી સુધી કોઇ સ્ટોપ નહીં અપાય. આવાં દસ હજાર સ્ટેશન પર અનેક ટ્રેનનાં સ્ટોપેજ ઝૂંટવાઇ શકે. નાના શહેરોને મોટાં શહેરો સાથે જોડતી કનેક્ટિંગ ટ્રેનો અપાશે.SSS

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.