Western Times News

Gujarati News

અનોડીયા ખાતે વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે વુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

પ્રાંતિજ: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ના અનોડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મ દિવસ ને લઈને ભાજપ કાર્યકરો દ્વારા વુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો .

માણસા તાલુકા ના અનોડીયા ખાતે આવેલ કોટવાસ મહાકાલી મંદિર ખાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ના ૭૦ મા જન્મ દિવસ ને લઈને માણસા તાલુકા ભાજપ સંગઠન દ્વારા વુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ આવાસ નિગમ ચેરમેન ડી.ડી.પટેલ  , પૂર્વ ધારાસભ્ય અમીતભાઇ ચૌધરી , ગાંધીનગર જિલ્લા પ્રમુખ નિલેષભાઈ  , માણસા તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ તેમજ ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં તો અનોડીયા  , ડોડીપાર  , કોટવાસ  , મહુડી, ખડાત  , લાકરોડા ગામોમાંથી ભાજપ કાર્યકરો આગેવાન સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં . પ્રાંતિજ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.