Western Times News

Gujarati News

સુશાંતને સ્મોકિંગ છોડવું હતું, હોલિવુડ જવાનો પ્લાન હતો

મુંબઈ: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુશાંત દ્વારા લખાયેલી નોટ્‌સ સામે આવી છે. આ નોટ્‌સમાં તેમના ફ્યુચર પ્લાન્સનો ઉલ્લેખ છે. બોલિવુડમાં નામના કમાયા બાદ સુશાંત હોલિવુડની ફિલ્મ કરવા ઈચ્છતા હતા.

સુશાંત સિંહ રાજપૂતની જે નોટ્‌સ સામે આવી છે, તેનાથી જાણવા મળે છે કે, તે ૨૦૧૮માં પાવના ફાર્મ હાઉસમાં લખાયેલી હતી. તે ૨૦૧૮માં સ્મોકિંગ છોડવા ઈચ્છતા હતા. સુશાંતનો કૈલાશ જવાનો પ્લાન હતો. નોટ્‌સમાં યોગ, તપસ્યા અને ત્રીજી આંખનો પણ ઉલ્લેખ કરાયો હતો. તેમણે પોતાના ડેઈલી રૂટિનના ૧૬ પોઈન્ટ લખ્યા હતા. તે મુજબ તેઓ રાત્રે અઢી વાગ્યે ઉઠતા હતા. સુપરમેન ચા પીતા હતા અને કોલ્ડ શાવર લેતા હતા. સુશાંતે પોતાની નોટ્‌સમાં લખ્યું છે કે, ‘કોઈ સાચો જવાબ નથી. કેટલાક ઘણા સારા સવાલ છે.

પરેશાનીને દૂર કઈ રીતે કરવી છે. ખુશી જ કેમ છે.’ નોટ્‌સમાં ઘણી બધી બાબતો લખી છે, જે સ્પષ્ટ નથી. કેટલાક શબ્દો જેવાકે- અનુભવ, વિશ્લેષણ, આનંદ, સાહસ, પ્રતિભા અને પવિત્રતા પણ લખેલું છે. તે પછી એક પેજ હિંદીમાં લખ્યું છે જે નાની-નાની હરકતોથી ઘણુ બતાવવાની સાહસ રાખે છે તે જ આવતીકાલનું નિર્માણ કરશે.

એક્ટરે આ નોટ્‌સના એક પેજમાં કૈલાશ યાત્રાના પડાવો વિશે લખ્યું છે- યોગા, તપસ્યા સોમરસ અને પછી કૈલાશ. તેની નીચે જ તેમણે ત્રીજી આંખ વિશે પણ લખ્યું છે. એક પેજમાં ટેનિસ, આર્ચરી માટે ટાઈમ ફિક્સ કર્યો હતો.  આ બધા કામો તેઓ ચાર કલાકમાં પૂરો કરવાનું શેડ્યુલ બનાવીને રાખતા હતા. સુશાતે નોટ્‌સમાં લખ્યું છે કે જબ મેં થા, તબ હરિ નહીં, અબ હરિ હૈ મેં નાહિ. આ કબીરનો દોહો છે. તે ઉપરાંત મોમિનની લાઈન લખી છે- તુમ મેરે પાસ હોતે હો ગોયા, જબ કોઈ દૂસરા નહી હોતા. તે ઉપરાંત નોટ્‌સમાં નીતિ આયોગની પોલિસી, ઈનસાએઆઈ કંપની, નાસા અને સુશાંત ફોર એજ્યુકેશનનો ઉલ્લેખ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.