Western Times News

Gujarati News

યુપીના આઝમગઢમાં ટ્રેઈની એરક્રાફ્ટ ક્રેશ થતાં પાયલટનું મોત

આઝમગઢ: ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક ટ્રેઈની એરક્રાફ્ટ TB-20 ક્રેશ  થઈને જમીન પર પડ્યું. આ ઘટના સારયમીર કસ્બાથી 7 કિમી દૂર કુસહા ગામમાં ઘટી. સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ આકાશમાં કાળા વાદળ છવાયેલા હતાં. ખરાબ હવામાન વચ્ચે આકાશમાં એરક્રાફ્ટ અનિયંત્રિત થતું જોવા મળ્યું અને જોત જોતામાં તો ખેતરમાં જઈને પડ્યું. આ અકસ્માતમાં પાયલટ કોર્ણાક સરનનું મોત થયું. જેમનો મૃતદેહ એરક્રાફ્ટના કાટમાળથી બે કિલોમીટર દૂર પાણી ભરેલા ખેતરોમાંથી મળી આવ્યો.

એરક્રાફ્ટ જમીન પર ટકરાયા બાદ ટુકડા ટુકડામાં ફેરવાઈ ગયું. આઝમગઢ એસપી સુધીર કુમાર સિંહે જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત એરક્રાફ્ટ રાયબરેલીના ફૂરસતગંજ સ્થિત આંતરરાષ્ટ્રીય તાલિમ કેન્દ્રથી ઉડ્યું હતું. તેને ટ્રેઈની પાયલટ કોર્ણાક સરન ઉડાવી રહ્યા હતાં. એરક્રાફ્ટને મઉ જનપથ જઈને પાછા ફરવાનું હતું. પરંતુ આઝમગઢમાં પડી રહેલા વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઈક્કા લિંક કંટ્રોલ સેન્ટરથી સંપર્ક તૂટી ગયો. એરક્રાફ્ટ અનિયંત્રિત થઈને ખેતરમાં જઈ પડ્યું. જેમાં સવાર પાયલટ કોર્ણાક સરનનું ઘટનાસ્થળે જ મોત થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.