Western Times News

Gujarati News

કંગનાએ ફિલ્મમાંથી સોનુના ૮૦ ટકાથી વધુ સીન્સ કાપ્યા હતા

મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ રિલીઝ થતા પહેલા અને બાદમાં ખૂબ ચર્ચામાં રહી હતી. ફિલ્મ તે સમયે ચર્ચામાં આવી ગઈ જ્યારે તેના ડાયરેક્ટર કૃષ અને કંગના વચ્ચે વિવાદ થઈ ગયો. ઘણી કોન્ટ્રોવર્સી સાથે કંગના જાતે જ આ ફિલ્મની ડાયરેક્ટર બની ગઈ. પહેલા આ ફિલ્મમાં સોનુ સૂદ મુખ્ય પાત્ર ભજવી રહ્યો હતો.

પરંતુ તેણે વચ્ચે જ ફિલ્મ છોડી દીધી. હવે તેણે આ વિશે વાત કરતા ફિલ્મ છોડવાનું કારણ જણાવ્યું છે. સોનુએ જણાવ્યું કે આ પગલું તેણે ખૂબ જ દુઃખ સાથે ઉઠાવ્યું હતું. બરખા દત્ત સાથે એક ઈન્ટરવ્યૂમાં સોનુને પૂછવામાં આવ્યું કે ફિલ્મનું શૂટિંગ થઈ ગયા બાદ તેણે આ ફિલ્મ શા માટે છોડી દીધી.

તેના પર સોનુએ જવાબ આપ્યો કે કંગના દોસ્ત છે અને તે તેની લાગણીઓને દુઃખ પહોંચાડવા નથી ઈચ્છતો. સોનુએ જણાવ્યું કે, કંગના ફિલ્મ ડાયરેક્ટ કરતા સમયે તેની મદદ ઈચ્છતી હતી. આ માટે તે તૈયાર પણ થઈ ગયો. પરંતુ સોનુએ જ્યારે પોતાના સીન જોયા તો ૮૦ ટકા કાપી નાખ્યા હતા. કંગનાએ તેના પર જવાબ આપ્યો કે તે તેને ફરીથી શૂટ કરવા ઈચ્છે છે.

સોનુ જણાવે છે કે, આ માટે મેં તેને કહ્યું કે તે મારી સારી મિત્ર છે પરંતુ તે જે કહી રહી છે તે કરવામાં હું કન્ફર્ટેબલ નથી. મેં જૂની સ્ક્રિપ્ટ અને ડાયરેક્ટરને હા પાડી હતી પરંતુ મેં પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનું વધારે સારું માન્યું. મેં આ વિશે વાત પણ નહોતી કરી. મેં ફિલ્મને ૪ મહિના આપ્યા હતા અને આ માટે કેટલાક પ્રોજેક્ટ્‌સ પણ છોડી દીધા. મને ખૂબ દુઃખ થયું હતું, પરંતુ મેં કંઈ કહ્યું નહીં.

સોનુએ જ્યારે ફિલ્મ છોડી ત્યારે એવી પણ ખબરો આવી હતી કે સોનુ ફીમેલ ડાયેક્ટર હેઠળ કામ કરવા નથી ઈચ્છતો. તેના પર સોનુએ જવાબ આપ્યો કે તેને ફીમેલ ડાયરેક્ટરથી કોઈ પરેશાની નહોતી કારણ કે તે ફરાહ ખાન સાથે પણ કામ કરી ચૂક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.