Western Times News

Gujarati News

સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વખત રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો

નવી દિલ્હી, હંમેશા વિવાદોમાં રહેતા ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વખત દેશના રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવાની માંગણી કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.

નોબેલ પારિતોષિક વિજેતા ગીતકાર કવિ રવીન્દ્રનાથ ટાગોર રચિત આ ગીત પહેલીવાર 27 ડિસેમ્બર 1911ના રોજ ગવાયું હતું. આ ગીતમાં વર્ણવાયેલાં ઘણાં સ્થળો હવે ભારતમાં નથી અને ઘણાંના નામ બદલાઇ ચૂક્યાં હતાં. એ સંજોગોમાં આ ગીતના શબ્દોમાં હવે ફેરફાર કરીને નવું ગીત તૈયાર કરાવવું જોઇએ અને એને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવું જોઇએ. તેમ સ્વામીએ માંગણી કરી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.