Western Times News

Gujarati News

મુસ્લિમ આગેવાનોએ ચાંદીના રથની પ્રતિકૃતિ જગન્નાથ મંદિરના મહંતને ભેટ આપી

Ahmedabad Rathyatra 2022 Jamalpur Mahant Dilipdasji

 

રથયાત્રાની સુરક્ષા માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, ત્રણ લેયરમાં રથની જડબેસલાક સુરક્ષા

(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, 145મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે પોલિસ અને તંત્ર પણ કામે લાગી ગયું છે. જમાલપુર જગન્નાથ મંદિરમાં પણ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે.

રથયાત્રાને લઈ શહેરના તમામ રસ્તા પર પોલીસની નાકાબંધી

મુસ્લિમ આગેવાનોએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીમાં બનાવેલી રથની પ્રતિકૃતિ ભેટ આપી હતી. આ પ્રસંગે સૌ કોઈ રથયાત્રા શાંતિ પૂર્વક પૂર્ણ થાય તે માટેના આયોજનની ચર્ચા વિચારણા કરી હતી.

રથયાત્રાની તૈયારીના ભાગરૂપે સમગ્ર અમદાવાદના કોટ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રથયાત્રાના લોખંડી બંદોબસ્તમાં ૨૫,૦૦૦ પોલીસ તૈનાત રહેશે

આ વખતે મહિલા દળની RPFની  વિશેષ ટુકડી પણ રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે તૈનાત રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.